________________
૨૨
એળે નહિ જાય !
૧
વેલૅન્ડ અને ફિલબર્ટીગિબેટ એક ઘોડા ઉપર તથા બીજા ઘેાડા ઉપર કાઉન્ટસ એમ ત્રણ જણાં કેનિલવર્ણ-ગઢના મુખ્ય મકાનના આંગણાના દરવાજા આગળ આવી પહોંચ્યાં. એની ઉપરના ટાવરના બુરજો ઉપર રાજા આર્થરના સૈનિકોના પહેરવેશમાં જૂના જમાનાના રાક્ષસી કદના પહેરેગીરોનાં પૂતળાં તેમનાં જૂનાં રાક્ષસી હથિયારો સાથે ખડાં કરેલાં હતાં. પણ તે પૂતળાંની વચ્ચે કેટલાંક જીવતાં માણસોને અંદરખાને લાકડાની જંગી ઘોડી ઉપર ઊભાં કરી, તેમને એવા રાક્ષસી કદના પાશાકો બહારથી પહેરાવી દેવામાં આવ્યા હતા, જેથી બધા જ સૈનિકો જીવતા હાય એવો આભાસ થાય !
પણ નીચેની કમાન આગળ ખરેખર જ એક જીવતા રાક્ષસી કદના માણસને સૌકાં-જૂના એવા જ જૂના સૈનિક-પેાશાકમાં, લેાખંડની અણિયાળી ગદા સાથે ખડો કરવામાં આવ્યા હતા. એવા જંગી કદનો માણસ ખાસ પસંદ કરીને તેને ત્યાં પહેરેગીરનું કામ સોંપવામાં આવ્યું હતું, જેથી તે બુરજ ઉપર ખડાં કરેલાં પૂતળાંનું સાક્ષાત્ પ્રતિનિધિત્વ કરે.
વેલૅન્ડે તેની પાસે જઈ, અંદર ગયેલી નટ-મંડળીના પાછળ રહી ગયેલા માણસ તરીકે પેાતાની ઓળખ આપીને, પેાતાને અંદર જવા દેવા વિનંતી કરી, ત્યારે તેણે ઝટ પેાતાની લેખંડી જંગી ગદા ઉગામીને એવી જોરથી પથ્થરની ફરસ ઉપર પછાડી કે, તેમાંથી ખરેખર આગના તણખા ઝર્યા. તેણે કશું બેાલતાં-બબડતાં વચ્ચે વચ્ચે વેલૅન્ડ સ્મિથને કહેવા માંડયું કે, તારા જેવા ભટકતા ભામટાઓને અંદર દાખલ કરવાના નથી. ” વળી પાછા તે આમતેમ આંટા મારતા પેાતાની જાતે કોઈ કવિતાની કડી ગેાખતા હાય એમ એનાં પદા સખવા માંડયો, પણ યાદ રહેતું ન હોવાથી કંટાળી પાછા વેલૅન્ડ સામે જોઈને બોલ્યો, “હજુ ખસતો નથી? મરવાનો થયા છે?” અને પાછા પેાતાના
66
૨૧૫