________________
૧૬૦
6
પ્રીત કિયે દુઃખ હોય ’
ર
વાને બહાર ચાલ્યા જતાં લિસેસ્ટરે એ કાસ્કેટ બીજા કોઈએ ખાલવાના પ્રયત્ન તે નથી કર્યો, એ બરાબર જોઈ લઈને ઉઘાડી. તેમાંથી થેાડા સેાનૈયા કાઢી એક રેશમી પર્સમાં ભરી લીધા; તથા અંદરથી જન્માક્ષર દોરેલા એક કાગળ કાઢયો. ત્યાર બાદ એક કૂંચી લઈ, પડદો ખસેડી, ખૂણામાંનું ગુપ્ત દ્વાર ઉઘાડી, ભીંતની જાડાઈમાં ચણેલા એક દાદર પાસે જઈ, ઊંચું જોઈ, દાદર ઉપરના બુરજમાં પહોંચે તેટલા મોટો અવાજ કરી બૂમ પાડી, “ અલાસ્કા ! નીચે આવો.
66
“ આવ્યો નામદાર ! ” એમ કહેતા ઉપરથી એક ગટ્ટો બુઢ્ઢા જેવો માણસ ઊતરી આવ્યો.
“પિતા, તમારી ભવિષ્યવાણી ખોટી પડી ! પેલા તે સાથે થવા લાગ્યા છે.”
“બેટા, મેં એનું માત નહોતું ભાખ્યું — ઉપરાંત, મેં આકાશના ગ્રહનક્ષત્રની ગતિ અને સ્થાન ઉપરથી ભાખેલી વાત, છેવટે સૌના નિયંતાની મરજીની બહાર છે, એમ પણ ન માની લેવું જોઈએ. ગ્રહ। ભલે માણસના ભાગ્ય ઉપર હકૂમત ચલાવતા હશે, પરંતુ ગ્રહેા ઉપર પણ ઈશ્વરની હકૂમત ચાલે છે. ”
“તો પછી તમારી વિદ્યા શા ખપની?”
66
“કેમ બેટા, ઈશ્વરની મરજી હેઠળ ચાલતે! ઘટનાક્રમ પણ કઈ દિશા પકડશે, એ આપણે અગાઉથી જાણી શકીએ, એ ઓછું છે? તમે જે જન્માક્ષર
એટલે તેને લાંબી
બતાવ્યા હતા, તેમાં શિન મંગળની સામે છઠ્ઠા સ્થાને છે; અને કારમી બીમારી ભાગવવી પડે જ. અને તે ઉપરથી તેનું મૃત્યુ જરૂર અનુમાની શકાય – છતાં આપ નામદાર તે જન્માક્ષરવાળાનું નામ મને કહેા, તો હું બીજી કુંડળી માંડી જોઉં. ”
“એનું નામ ગુપ્ત છે, પિતા; છતાં હું એટલું તેા કબૂલ કરીશ જ કે તમારું ભાખેલું ખાટું પડયું છે એમ ન કહેવાય. તે ખૂબ જ બીમાર પડી ગયા હતા – જોકે મરી ન ગયા, પણ તેની આખરી ઘડી તો ગણાવા લાગી જ હતી. પણ પિતાજી, તમે વાર્નેએ કહ્યા મુજબ મારી છે કે નહિ? તો તે ઉપરથી અત્યારે મારું ભાગ્ય કેવું છે તે કહી
કુંડળી દોરી શકશે ? ”