SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ પ્રીત કિયે દુઃખ હોય” નિયમો તથા શિષ્ટ રાજવ્યવહારની આણ દઈ, તેને મુક્ત કરવાની જોરદાર દલીલો કરી. રાણીને એ અભિપ્રાય ગમ્યો નહિ. લિસેસ્ટરે ભારે જુસ્સાથી અને વકતૃત્વ-છટાથી એથી ઊલટો મત પ્રતિપાદિત કર્યો કે, રાજ્યની સહીસલામતીને ખાતર કૉટલૅન્ડની રાણીને હજુ નિયંત્રણમાં રાખવી જોઈએ. કારણકે, રાણીજીના અંગની સહીસલામતી તો આપણને માટે સૌને ભારેમાં ભારે અગત્યની વસ્તુ ગણાય. એ સ્કૉટલૅન્ડની રાણીએ એક વખત ઇંગ્લેન્ડના સિંહાસન માટે જ જૂઠો દાવો કર્યો હતો, એટલું જ નહિ પણ, અત્યારે તે આપણા દેશની વચ્ચોવચ રહીને પણ દેશ-પરદેશના રાણીજીના બધા દુશ્મનોની આશા અને પ્રેરણા બની રહી છે. છેવટે તેણ બધા ઉમરાવોની સમક્ષ કંઈ વધારે પડતું કડક બોલાઈ ગયું હોય તો તે બાબત ક્ષમા માગી; કારણકે, તેણે ઉમેર્યું તેમ, રાણીજીની સહીસલામતીની વાત આવે છે ત્યારે તે વિષે બોલતાં તેનાથી સામાન્ય ચર્ચાની મર્યાદા ઓળંગી જવાય છે. ઇલિઝાબેથે તેને પોતાની અંગત સહીસલામતી બાબત વધારે પડતું મહત્ત્વ આપવા અંગે મીઠો ઠપકો આપ્યો; છતાં સાથે સાથે ઉમેર્યું કે, ભગવાનની મરજીથી તેનું (રાણીનું) અંગત હિત, તેના પ્રજાજનેના હિત સાથે એટલું બધું ગાઢપણે સંકળાઈ ગયેલું છે કે, આત્મરક્ષણ માટે જ્યારે તે કંઈ પણ પગલાં ભરે છે, ત્યારે તે પોતાનું રાજ્ય પ્રત્યેનું કર્તવ્ય જ અદા કરે છે, એમ તે માને છે. અને આ કાઉંસિલ જો ડહાપણપૂર્વક એવા મતની હોય કે, સ્કૉટલૅન્ડની તેની કમનસીબ બહેન ઉપર કંઈક નિયંત્રણ ચાલુ રાખવું આવશ્યક જ છે, તે એ પોતે તેના બંદીવાસને એની સુરક્ષિતતા માટે જરૂરી હોય તે મર્યાદામાં હળવો બનાવવા અવશ્ય સૂચનાઓ આપશે. આ કાઉંસિલને અંતે અર્લ ઑફ લિસેસ્ટરને વિજય સંપૂર્ણ થઈ ગયો. અને સૌ દરબારીઓ હવે તેની કૃપાના અભિવાંછુ બની રહ્યા. બીજી બાજુ સસેકસ દિવસને અંતે સેઝ-કોર્ટ પાછા ફર્યા, ત્યારે એટલા બધા થાકી ગયા હતા કે, તેમણે તરત વેલૅન્ડ સ્મિથને પોતાની સારવાર માટે તાકીદે બોલાવ્યો. પણ તે કયાંય જડ્યો નહિ. ટ્રેસિલિયનને એ વાત કરવામાં આવી. થોડી વારે વેલૅન્ડ કયાંક બહારથી આવ્યો, પણ તે એવો ગાભરો થઈ ગયો હતો કે, ટ્રેસિલિયન તેને એકલાને એકાંતમાં મળ્યો અને પૂછવા લાગ્યો કે, “તને શું થયું છે, સ્મિથ? તે કંઈ ભૂતબૂત તે જોયું નથીને?”
SR No.005924
Book TitlePrit Kiye Dukh Hoye
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy