________________
૧૩૮
પ્રીત કિયે દુઃખ હોય'
યાચના કરવામાં મને તેા વકીલ ન બનાવવા જોઈએને? અને ટ્રેસિલિયન, તારા જેવો વટદાર માણસ, તથા મારો મિત્ર, યાચનાના આવા દીન માર્ગ અપનાવવા ઇચ્છે, એ જાણી મને અચંબા જ થાય છે. અને તેં મને એ વાત કરી હશે તાપણ તે તારા માંને છાજે તેવી ન હાઈ, હું સમજ્યા જ ન હતા.
39
..
(6
“મારા લૉર્ડ, મારા પોતાને માટે હાત, તો તે આપે લીધેલો રસ્તા જ મેં પણ અપનાવ્યો હોત; પરંતુ આ કમનસીબ બાનુનાં સંબંધીઓ · અરે સંબંધીઓની વાત જવા દે; તેમણે પણ આપણને આપણી રીતે આ બાબતમાં આગળ વધવા દેવા જોઈએ. અત્યારે તા લિસેસ્ટર અને તેના અનુયાયીઓ સામે જેટલી ફરિયાદો ભેગી કરી શકાય તેટલી ભેગી કરવાનો સમય છે; અને આ ફરિયાદ જરૂર રાણીજી બહુ જ મન ઉપર લેશે. પણ હવે તેા એ ફરિયાદ રાણીજીના હાથમાં જઈ જ પડી છે, પછી એની ચર્ચા શા ખપની?”
ટ્રેસિલિયનને શંકા ગયા વિના ન રહી કે, લિસેસ્ટર સામે પોતાની જાતને વધુ સબળ બનાવવાની ઇંતેજારીમાં, લિસેસ્ટરને બટ્ટો લાગે એ માટેની આ રીત સસેર્સ જાણીબૂજીને અજમાવી છે; પરંતુ એ રીત સફળ નીવડશે કે કેમ એના વિચાર કર્યા નથી. એટલે તેણે એ ચર્ચા આગળ ન ચલાવી. સોકો પણ એ ચર્ચા ન લાંબાય તે માટે સૌને અગિયાર વાગ્યે તૈયાર થઈ વાના આદેશ આપી, વિદાય કરી દીધા.
ર
આમ બંને હરીફ રાણીજીની મુલાકાત માટે કંઈક ચિંતાતુર થઈ તૈયારી કરી રહ્યા હતા, ત્યારે રાણી ઇલિઝાબેથ પોતે પણ આ બે ભભૂકતા હરીફોને ભેગા કરવામાંથી શા શા તણખા ઝરશે એ બાબત ચિંતામાં જ પડી હતી. બંને જણના સંખ્યાબંધ અનુયાયીઓ હતા જ; ઉપરાંત તેના દરબારના મોટા ભાગના દરબારીઓની પણ આશા-આકાંક્ષાએ બેમાંના એકની સાથે ગુપ્તપણે કે ખુલ્લી રીતે સંકળાયેલી હતી. એટલે રાણીએ પાતાના સંરક્ષકોને પૂરા શસ્ત્રસજ્જ થવાનો હુકમ આપી દીધો અને લંડનથી થેમ્સ નદીને રસ્તે ખાસ દળના સૈનિકોને બાલાવી લીધા. ઉપરાંત જાહેર ઢંઢેરો પણ પિટાવવામાં આવ્યો કે, કોઈ ઉમરાવે રાજમહેલની નજીક શસ્ત્રધારી કે લાંબાં શસ્ત્રોથી સજ્જ એવ રસાલા સાથે આવવાનું નથી. ગુસપુસ તા એવી પણ ચાલતી હતી કે,