________________
ભૂતની કેદ્ર ગમારો બીકથી પૂજવા માંડતા તે જોઈ તેને બહુ આનંદ થતો અને તે તેમને એવા તો બિવરાવ્યા કરત! કુદરત-ડેસીએ તેને કદરૂપું ખેમું આપ્યું તેના બદલામાં તેના મગજના માટલામાં બમણી અક્કલ ભરી આપી છે, તથા સાથે સાથે બીજાઓનાં દુ:ખ જોઈને હસવાની વૃત્તિ પણ.”
હા; જે લોકો કદરૂપાપણાને લીધે આખી દુનિયાથી અવગણાય છે, તેઓમાં દુનિયાનાં માણસોનાં સંક્ટો અને મુશ્કેલીઓ જોઈને આનંદ માણવાની વૃત્તિ પ્રમાણમાં વધી જાય છે.”
ટ્રસિલિયન અને વેલૅન્ડ ડેવોનશાયર તરફની પોતાની મુસાફરી આગળ ધપાવ્ય રાખી. તે માર્કબર શહેરમાં એક વીશીએ થોભ્યા હતા, ત્યાં તેમને
ખરાબ સમાચાર ઘણા જલદી ફેલાય છે' એ કહેવતને પરચો પણ જાણવા મળ્યો.
એક ઘોડેસવાર ત્યાં થઈને હમણાં જ પસાર થયો હતો, જેણે સમાચાર આપ્યા હતા કે બર્કશાયરની વહાઇટ-હૉર્સ ખીણમાં જે વેલેન્ટ સ્મિથ રહે હતું, તેને સવારના પહોરમાં ભૂત આવીને તેના આખા મથક સાથે આગ અને ધુમાડાના ગોટામાં વીંટીને ઉપાડી ગયું છે!
એ સાંભળી વીશીમાં બેઠેલા એક ખેડૂતે કહ્યું, “એ વેન્ડ સ્મિથ સેતાનને સાગરીત હતો કે નહિ એ તો કોણ જાણે પણ આ ભાગમાં એના જેવો ઘોડાઓનો વૈદ બીજો કોઈ ન હતો. હવે જોજો, થોડા વખતમાં ઘોડાઓને કેવા કેવા રોગો થાય છે તે!”
વીશીના ઘોડાવાળાએ જવાબ આપ્યો, “અરે એના જેવો નાળ જડનારો બીજો કોઈ કસબી પણ મળવો મુશ્કેલ છે. હું પોતે અમારા એક ઘોડાને તેની પાસે દવા કરાવવા લઈ ગયો હતો.”
વીશીવાળાની ધણિયાણીએ પૂછયું, “તેં એને નજરે જોયો હતો
ખરો?”
ના રે ના, કોઈ માણસે એને નજરે જોયો હોય એમ હું માનતો નથી. મને તો ફેરિંગ્ટનના માસ્તરે ચિઠ્ઠી ઉપર ઘોડાનો રોગ લખી આપ્યો હતો. પછી ગામમાં રહેતા એક છછુંદર જેવો એક છોકરો મને ત્યાં લઈ ગયો હતો. ત્યાંથી પ્રિ0- ૭