________________
રાત્રિભોજનના અનંત દોષને સંપૂર્ણ રીતે જાણે છે, છતાં વર્ણન કરવામાં આયુષ્ય ઓછું પડે છે.
રાત્રિભોજનના નિષેધ પાછળ જેમ આત્માની સુરક્ષા છે તેમ શરીરની પણ સુરક્ષા છે. તન-મન અને આત્મા ત્રણેયની સુરક્ષાના ભૌતિક અને આધ્યાત્મિક અનેક મહાના લાભો રાત્રિભોજનના તથા અભક્ષ્યના ત્યાગમાં રહેલા છે.
આ અવતાર ઢોરનો નથી.. માનવનો છે. ઢોરનાં અવતારમાં રાતદિવસ ખા-ખા જ કરતા હતા. આ ભવમાં પણ એ જ કુસંસ્કારી પશુનો અવતાર ગયો પણ પશુતા ન ગઈ! કુસંસ્કારનો ત્યાગ કરવો એ માનવનું પ્રથમ કર્તવ્ય છે.
રાત્રિભોજનના મહાપાપને સમજીને એ પાપથી આ જ ક્ષણે પાછા ફરો-પાછા ફરવાનો શુભ સંકલ્પ કરો અને દ્રવ્ય ભાવ બંને પ્રકારના આરોગ્યને પામો.
ચાલો, એ રાત્રિભોજનના પાપને અનેક પાસાઓથી તપાસીએ...
રાત્રિભોજન - કેવલજ્ઞાનીની દ્રષ્ટિએ
અન્યદર્શનકારોનું જ્ઞાન સીમિત છે. વિજ્ઞાનનું સંશોધન હજી અપૂર્ણ છે. પણ સર્વજ્ઞનું જ્ઞાન ખામી વગરનું અને સર્વાગ સંપૂર્ણ છે..!! એ વિશિષ્ટ જ્ઞાન ધરાવનારને કોઈપણ વસ્તુ તપાસવા માટે, જેવા માટે, જાણવા માટે...
નથી જરૂર કોઈ મોટા વિજ્ઞાન ભવનની!
નથી જરૂર કોઈ મોટા-નાના ચાંત્રિક સાધનો વસાવવાની!
નથી જરૂર કોઈ માઈક્રોસ્કોપ કે બાઈનોક્યુલર દુર્બનની!
(૪૦)