________________
લશ્કરી તાકાત ઉપર નભતું રાજતંત્ર કદી કલ્યાણકર હેઈ ન શકે, અને પશુબળના આધાર વિનાનું કલ્યાણરાજ્ય કેવું હોઈ શકે, તેનું દર્શન કરી, મહર્ષિ ટૉસ્ટોયે, પિતાની અપ્રતીમ વાર્તાશૈલીથી “ઇવાન ધ કુલ’ નામની પરીકથા રચી છે. તેમની ચેતવણી અવગણીને પાશ્ચાત્ય ગોરી પ્રજાઓ કેવાં બે મહાયુદ્ધોમાં અટવાઈને બરબાદ થઈ, તથા આફ્રિકાએશિયાનાં તેમનાં મહા-સામ્રાજ્ય કેવાં અસ્ત પામ્યાં, તેનો ઇતિહાસ તે તાજો જ છે. ગાંધીજી પણ પશુબળ ઉપર આધારિત રાજતંત્રના વિરોધી હતા અને તેમણે બહુ પહેલાં ટૉસ્ટૉયની એ પરીકથાનું ગુજરાતી ભાષાંતર 'મૂરખરાજ’ નામે તૈયાર કર્યું હતું.
અત્યારે ભલે ન માને, પણ છેવટે વિશે ટૉલ્સ્ટૉયે રજુ કરેલ લશ્કરી બળના આધાર વિનાને માનવસમાજ ઊભો કરવો જ પડશે; અથવા તે પછી આયુદ્ધથી અર્ધ ઉપરાંત માનવજાતનો સંહાર વહોર પડશે. ભારતને પણ લશ્કરી બળનો માર્ગ છેવટે છોડવો જ પડશે; અથવા તે પરદેશી પ્રબળ લશ્કરી તાકાતેના ઘેરા હેઠળ – અને હવે તો આયુદ્ધની જ લટકતી તરવાર હેઠળ જીવવું પડશે.
પરંતુ લશ્કરી બળના આધાર વિનાનું રાજતંત્ર સ્થાપવા માટે ભેગૈશ્વર્ય માટેની વિજ્ઞાન-ટેકનોલૉજીની આસુરી સંસ્કૃતિ છોડીને ટૉલ્સ્ટૉયે નિરૂપેલી “બ્રેડ લેબર-ની સંસ્કૃતિ અપનાવવી પડે– જેને
ભારતની પરિસ્થિતિના અનુસંધાનમાં તરજૂમે ગાંધીજીએ “હાથે કાંતેલા કાપડ-ની (ચરખાની) સંસ્કૃતિ કર્યો છે.
પણ બનવાનું હતું તે બન્યું જ : જવાહરલાલે અપનાવેલી આર્થિક - સામાજિક નીતિઓને પરિણામે ભારતને પોતાનાં ભેગેટવર્યના યોગક્ષેમ માટે લશ્કરી તાકાત બનવું જ પડ્યું અને પરિણામે અમેરિકાચીન-પાકિસ્તાનની તેવી લશ્કરી તાકાત સાથે હરીફાઈમાં અને પછી
૧. ઋષિ એટલે આર્ષદૃષ્ટા, પાર નાર.
૨. પિતાનો રેટ (બ્રેડ) શારીરિક જાતમહેનતથી (લેબર) ઊભે કરવો તે.