SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ લશ્કરી તાકાત ઉપર નભતું રાજતંત્ર કદી કલ્યાણકર હેઈ ન શકે, અને પશુબળના આધાર વિનાનું કલ્યાણરાજ્ય કેવું હોઈ શકે, તેનું દર્શન કરી, મહર્ષિ ટૉસ્ટોયે, પિતાની અપ્રતીમ વાર્તાશૈલીથી “ઇવાન ધ કુલ’ નામની પરીકથા રચી છે. તેમની ચેતવણી અવગણીને પાશ્ચાત્ય ગોરી પ્રજાઓ કેવાં બે મહાયુદ્ધોમાં અટવાઈને બરબાદ થઈ, તથા આફ્રિકાએશિયાનાં તેમનાં મહા-સામ્રાજ્ય કેવાં અસ્ત પામ્યાં, તેનો ઇતિહાસ તે તાજો જ છે. ગાંધીજી પણ પશુબળ ઉપર આધારિત રાજતંત્રના વિરોધી હતા અને તેમણે બહુ પહેલાં ટૉસ્ટૉયની એ પરીકથાનું ગુજરાતી ભાષાંતર 'મૂરખરાજ’ નામે તૈયાર કર્યું હતું. અત્યારે ભલે ન માને, પણ છેવટે વિશે ટૉલ્સ્ટૉયે રજુ કરેલ લશ્કરી બળના આધાર વિનાને માનવસમાજ ઊભો કરવો જ પડશે; અથવા તે પછી આયુદ્ધથી અર્ધ ઉપરાંત માનવજાતનો સંહાર વહોર પડશે. ભારતને પણ લશ્કરી બળનો માર્ગ છેવટે છોડવો જ પડશે; અથવા તે પરદેશી પ્રબળ લશ્કરી તાકાતેના ઘેરા હેઠળ – અને હવે તો આયુદ્ધની જ લટકતી તરવાર હેઠળ જીવવું પડશે. પરંતુ લશ્કરી બળના આધાર વિનાનું રાજતંત્ર સ્થાપવા માટે ભેગૈશ્વર્ય માટેની વિજ્ઞાન-ટેકનોલૉજીની આસુરી સંસ્કૃતિ છોડીને ટૉલ્સ્ટૉયે નિરૂપેલી “બ્રેડ લેબર-ની સંસ્કૃતિ અપનાવવી પડે– જેને ભારતની પરિસ્થિતિના અનુસંધાનમાં તરજૂમે ગાંધીજીએ “હાથે કાંતેલા કાપડ-ની (ચરખાની) સંસ્કૃતિ કર્યો છે. પણ બનવાનું હતું તે બન્યું જ : જવાહરલાલે અપનાવેલી આર્થિક - સામાજિક નીતિઓને પરિણામે ભારતને પોતાનાં ભેગેટવર્યના યોગક્ષેમ માટે લશ્કરી તાકાત બનવું જ પડ્યું અને પરિણામે અમેરિકાચીન-પાકિસ્તાનની તેવી લશ્કરી તાકાત સાથે હરીફાઈમાં અને પછી ૧. ઋષિ એટલે આર્ષદૃષ્ટા, પાર નાર. ૨. પિતાનો રેટ (બ્રેડ) શારીરિક જાતમહેનતથી (લેબર) ઊભે કરવો તે.
SR No.005920
Book TitleGamar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy