________________
૧. મારે એ બગાડી નાખે!
૧૩ ઇવાને હસીને જવાબ આપ્યો – “ભાઈ, લઈ જાઓને તમ-તમારે. મારે ખૂટશે તો ઘણુંય પક્વી લઈશ!”
તરાસે ગાડાં ભરીને દાણા, તથા મોટા ઘેડાને શહેર ભેગા કર્યા. ઇવાન પાસે બાકી રહી એક બુઠ્ઠી ઘડી અને બુઠ્ઠાં મા-બાપ. એમને કોણ માગી જવાનું હતું!
બુટ્ટા સેતાનના પેટમાં ચૂંક ઊપડી : “મિલકત વહેંચવાની બાબતમાંય ભાઈઓ લડી ન મરે અને બધું શાંતિથી પતી જાય, એ વળી કેવું? એમાં મારી શી આબરૂ રહી? મારું માં તે “કાળું' જ ને?” તરત યાદ ક્ય ત્રણ ગોઠિયાઓને. નાખી ત્રાડ– “મા”ળા બબૂચકો! ઓલ્યા ત્રણ ભાઈ – સાઇમન – તરાસ અને ઇવાન મિલકત વહેચતાંય લડ્યા નહિ અને સલામત સૌ-સૌને ઘેર પહોંચ્યા, એ વળી કેવું? તો પછી આપણે બધા છીએ શા માટે? પેલા ઇવાન ગમારે જ મારો ખેલ બગાડયો છે! પણ હવે બાંધો કેડ, ને લડાવી મારો ત્રણેયને એવા કે એકબીજાની આંખે ખેંચી કાઢવા જ વહેલા થાય ! બોલો, છે હિંમત? આ ત્રણેય બોલી ઊઠયા : “એ, એના તે શા ભાર ! હમણાં પતલું જાણો!”
“પણ તમે શું કરશે, એ તે કહો!”
જુઓ સરદાર, પહેલાં તે અમે તે ત્રણેયને પાયમાલ કરી નાખીશું. પછી જ્યારે દરેકની પાસે ખાવાને દાણાય નહીં રહે, ત્યારે તે ત્રણેયને બાપને ઘેર ભેગા કરીશું; પછી જોજો મજા – કેવા એકબીજાને કરડવા તડે છે !'
“ખરી વાત! તમે કામ બરાબર સમજતા લાગે છે. માણસ ભૂખે મરતો થાય ત્યારે જ હેવાન બને. જ્યાં સુધી છાકમછોળ હોય, ત્યાં સુધી શા માટે લડે-ઝઘડે? બસ, તે જાઓ, કરો ફત્તેહ! પણ જો