SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદરગિરિના સાધુજનની જીવન-ભાવના - " આપણી પ્રજા, આપણો દેશ, આપણો કાળ, આપણા વિચાર-આચાર અને આધિઉપાધિ : એ સર્વના વર્તમાન ચિત્ર વચ્ચે ઊભાં રહીને આપણી ભાવિ પ્રજાનું એ જ વિષયોના રંગથી ભરેલું કલ્પિત ચિત્ર આલેખવું એ આ કથાને એક વિશિષ્ટ ઉદ્દેશ છે...સર્વ છાયાઓનું સચરિત પ્રતિબિંબ એક અંદશમાં પાડવું. આ કાર્યમાં ચિત્રને અંગે ગૌણ પણ અન્યથા પ્રધાન ઉદેશ એક એ છે કે અનેકરંગી સંપત્તિવિપત્તિઓમાં ડૂબતાં અને તરતાં આર્ય–આયંગણનાં હૃદયોને કઈક જાતનું દેશ-કાળને અનુકૂળ ઉચ્ચગ્રાહી અવલંબન દર્શાવવું' - 'સરસ્વતીચંદ્ર' ભાગ-૩. પ્રસ્તાવના. આ ધ્યેયને અનુલક્ષીને પરિકથા લખનાર સરસ્વતીચંદ્ર-કારે અર્વાચીન જીવનનાં અનેક ‘અંગે–રાજકીય ધાર્મિક, સામાજિક, કૌટુંબિક વગેરેનું નિરીક્ષણ કર્યું; સૈકાઓથી ગાઢ થતી જતી જડતા નિહાળી; રૂઢિનું પ્રાબલ્ય જોયું; રસની વિડંબના ભાળી, પ્રાચીન આર્યાવર્તની બુદ્ધિની વેધકતા અને વ્યાપકતા, અને તેના દર્શનનાં તાત્વિકતા અને ઔદાર્ય આ એજિસ્વી ગુણોને બદલે અર્વાચીન જીવનમાં મનોદશાની સંકુચિતતા અને બુદ્ધિની કુંઠિતતા જોઈ; આ બંધિયાર અને કેહતાં જીવન-જળમાં પશ્ચિમની વિદ્યાઓ, આચારવિચાર અને સંસ્કૃતિને ધસમસ વહેતો પ્રવાહ આવી મળે. પ્રજાજીવનમાં આંદોલન અને વમળો ઊડ્યાં. ભથી જીવન આકુળ બન્યું. પણ જેમ ત્રિવેણીને સંક્ષુબ્ધ પ્રવાહ સંગમસ્થાનથી દૂર વહેતાં ત્રણે વેણને શોભન સમન્વય પામીને એકરસ પ્રસન્નતા ધારે તે પ્રમાણે આ ત્રણે બળાઅર્વાચીન જીવનસરણી, તેના મૂળમાં રહેલી
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy