SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ગાવ નરામ 3 પ્રણાલિકાઓ, માન્યતાએ અને ભાવનાઓની નિષ્પ્રાણતા વ્યક્ત કરી આપી. સંઘર્ષ કાળના ડહેાળાણુમાંથી જીવનને નિળ અને સમ બનાવવાના પ્રયત્ન પડિતયુગના સાહિત્યકારોએ કર્યા છે. ગાવ નરામે તે ́ જાણે શાળા અને કૉલેજકાળ દરમ્યાન જ આ યુગનું આ આહ્વાન ઝીલવા માંડયું હતું! નૈસર્ગિક વિચાર અને. કલ્પનાશક્તિની સાથે ઉત્કટ જિજ્ઞાસાવૃત્તિ ભળવાથી ગેાવનરામની સર્જકશક્તિ અને વિચારશક્તિ સમૃદ્ધ બની, ગેાવનરામ સાચા અર્થમાં પડિત scholar હતા. સ`સ્કૃત સાહિત્યના અને શાસ્ત્રોના સર્વાંગીણ અભ્યાસી હાવા ઉપરાંત અગ્રેજી સાહિત્ય, અર્થશાસ્ત્ર. નીતિશાસ્ત્ર, ઇતિહાસ, રાજકારણુ વગેરેના ગાઢ પરિચયે એમની દૃષ્ટિને વ્યાપક અને સમન્વયનિષ્ઠ બનાવી. તેમણે સામાજિક, ધાર્મિક, દાર્શનિક, અતિહાસિક વગેરે વિષયેા ઉપર સંખ્યાબંધ નિબધા લખ્યા છે તે તેની બહુશ્રુતતા, પયેષક બુદ્ધિ, તુલનાશક્તિ અને તત્ત્વગ્રાહિતા દર્શાવે છે. એમની સૂક્ષ્મ દૃષ્ટિએ જોયુ કે આપણું પ્રાચીન તથા અર્વાચીન તથા પાશ્ચાત્ય અર્વાચીન આ ત્રણે બળેાને સમન્વય કરી જીવનવિધાન યેાજાય તેા જ આપણા દેશમાં પ્રેય અને શ્રેય સધાય. આધ્યાત્મિકતાના પાયા ઉપર વ્યક્તિ તેમજ સમાજના જીવનનું નિર્માણુ થાય. * Practical ascetisism' જીવનમંત્ર બની રહે તે જ જનત્રયાણુ સાધી શકાય. આ કાર્ય માટે આરંભમાં તેાનિબન્ધરૂપે પેાતાના વિચાર। પ્રજા સમક્ષ રજૂ કરવાના એમને આશય હતા, પણ લેાકમાનસને સારી રીતે સમજનાર ગેાવધનરામે આ વિચારાને વાર્તાના કલેવરમાં વણી લેવાનુ વધારે યેાગ્ય ધાયુ... અને પરિણામે · સરસ્વતીચ'દ્ર' નવલકથા જન્મી. ' · સરસ્વતીચંદ્ર' નવલકથા સાહિત્યકાર ગાવ નરામનુ ઔરસ સ`તાન છે. કારણ કે તેમાં ગેાવધનરામના વિચારવૈભવની સાથે તેની સ ક કલ્પનાનું સૌંદર્યાં ભળ્યુ છે. ગેાવનરામનું હૃદય સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી કાવ્યસાહિત્યના પરિશીલનથી આર્દ્ર બન્યું હતુ.
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy