SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૮] પૂણેના પગથારે નહિ જાય પણ સામે આવશે. બિહારને દુષ્કાળ, ગુજરાતને દુષ્કાળ અને ચારે બાજુ કુદરતને પ્રકોપ માનવની માનતાના અભાવનું પ્રદર્શન નથી ? ત્રણ દિવસ પહેલાં બિહારના મુખ્ય પ્રધાન શ્રી મહામાયાપ્રસાદ બિહારમાં આપણે જે રાહતકેન્દ્રો શરૂ કર્યા તે માટે પિતાની પ્રજા અને સરકાર વતી ધન્યવાદ પાઠવવા આવ્યા હતા. ત્યારે મેં તેમને કહ્યું હતું કે બિહારને દુષ્કાળ માત્ર અન્ન આપવાથી, વસ્ત્ર આપવાથી દૂર થવાને નથી. એ તે અમે આપીશું, અમે નહિ આપીએ તે અમારી માનવતા પરવારેલી ગણાશે. પણ જો પ્રજા ઊઠશે, જાગશે, અને ઊભી થશે તે જ એને ઉદ્ધાર થવાનું છે. હવે તમે પ્રજાને જગાડવાનું કામ કરે. પ્રજાને સુવાડવાનું અને જુઠ્ઠાં વચને આપીને પ્રજાને અંધારામાં રાખવાને ધંધે આજસુધી ખૂબ ચાલે. મારી આ વાત સાંભળી એમણે કહ્યું કે ભગવાન અમને સદબુદ્ધિ આપે. મેં કહ્યું કે ભગવાન તે આપી ચૂક્યા છે. ભંડારે તે ભરેલા જ છે પણ આજ સુધી એના દરવાજે તાળું હતું, હવે આપણે તાળું ખેલી એ દરવાજા ઉઘાડવાના છે. ભગવાન મહાવીરે કહ્યું કે આપણને જે સમૃદ્ધ બનાવે, આપણને જે ઉઠાવે અને આપણામાં છુપાયેલી આપણી દિવ્યતાને બહાર લાવે એવી આઝાદી લાવો. સુખ ઈચ્છશો તે સુખ મળશે પણ શાંતિ આપે એવું સુખ ઈચ્છો. મિત્ર જોઈશે તો મિત્ર મળશે પણ આનંદ આપે એવા આત્માને જ મિત્ર બનાવે. અને આઝાદી જોઈએ તે મળશે પણ આપણને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે એવી આઝાદી આપણે ઈચ્છીએ.
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy