SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ મં૨૨૬૬ મે અનેકાંત અને સ્યાદ્વાદ શબ્દ ઘણો મહત્ત્વનો છે.‘કીડીને કણ ને હાથી ને મણ' એવું એ વાક્ય છે, માણસે કેટલું રાખવું ને કેટલું ન રાખવું એ વિષે પણ શાસ્ત્રકારોએ સ્પષ્ટ માર્ગદર્શન આપેલું જ છે, આમ છતાં, દરેક માણસ, પોતાની જરુરીયાત અંગેની મર્યાદા વિવેકપૂર્વક નક્કી કરે એ એથી વિશેષ એની પાસે જે આવે, તે કાં તો સ્વીકારે જ નહિ અથવા તેનો સદુપયોગ કરે, બીજાઓને માટે, જેમને જરુર હોય તેમને માટે, એનો ઉપયોગ કરે. તો અપરિગ્રહના આચારનું અંશતઃ પાલન થાય જ છે. અપરિગ્રહ અંગે જૈન શાસ્ત્રાકારોએ બતાવેલી વાત ખૂબ ખૂબ સમજવા જેવીછે. આજે આ ભૌતિક જગતમાં આપણી આસપાસ, જે સામાજિક અને રાજકીય દુર્દશા આપણે જોઈએ છીએ તેની પાછળ આ આચારનો અભાવ પણ જવાબદાર છે. ધનવાન તેમજ ગરીબ વર્ગ વચ્ચેની કરુણાજનક અસમાનતા અને ધનવાનો તથા સત્તાધીશોની ચૂસણખોરી જોઈને કાર્લ માકર્સ નામના એક જર્મન ચિંતકે એક, નવા પ્રકારનું અર્થશાસ્ત્ર લખ્યું. એમાંથી પ્રેરણા મેળવીને લેનિને રશિયામાં એક જબરદસ્ત ક્રાંતિ ઉભી કરી. સામ્યવાદ અને સમાજવાદ નામથી ઓળખાતી વિચારસરણીઓનો એમાંથી જન્મ થયો. એમાંથી લોહીયાળ ક્રાંતિઓ થઈ. કાર્લ માર્કસ અને એના જેવા અન્ય વિચારકોને આ વિચારો શાંથી સૂઝયા ? હજારો લાખો વર્ષ પહેલાં જૈન સમાજશાસ્ત્રીઓએ અપરિગ્રહનું જે અર્થશાસ્ત્ર રચ્યું હતું, એનું પાલન વિશ્વભરમાં જો થયું હોત, તો દ્વેષ, વિદ્વેષ, તિરસ્કાર, મારા મારી અને ખૂનામરકીથી ભરપૂર ઘટનાઓ વિશ્વમાં સર્જાત જ નહિ. છીનવીને અણહકનું જે લીધેલું તથા સંઘરેલું, તે એ જ રીતે છીનવાઈ ગયું.' કર્મનો સિદ્ધાંત ત્યાં પોતાનું કામ તો કરી ગયો. પરંતુ, કાર્લ માકર્સ, લેનિન, સ્ટેલીન, ચાઉ એન લાઈ વિગેર સામ્યવાદીઓએ અપનાવેલી વિચાર-સરણીઓ તથા કાર્ય પદ્ધતિઓ પણ વિઘાતક જ છે. કેમકે, એની પાછળ અહિંસાની કોઈ ભાવના નથી ; ભારોભાર હિંસા અને દ્વેષની માત્રા તથા પરમાત્મા અને ધર્મ પ્રત્યેની અશ્રદ્ધા એ વિચારસરણીઓની પાછળ છે, એનાથી, સરવાળે તો માનવજાતનું ભયંકર અહિત થવાનું છે. આ વાત બહુ સમજવા જેવી છે. આજે જીવન ધોરણ અતિશય ખર્ચાળ બની ગયું છે, સાદાઈનું સ્થાન ભભકાએ લીધું છે; નમ્રતાનું સ્થાન અહંતાએ લીધું છે; વિવેકની જગ્યાએ મોટાઈ અને આડંબર ગોઠવાઈ ગયાં છે. સૌને ‘વધારે ને વધારે’ જોઈએ છે. આ ‘ વધારે’ ની પાછળ ‘અન્ય કરતાં વિશેષ' એવો ભાવ રહ્યો છે. પરિણામે, સ્વાર્થ – કેવળ સ્વાર્થ-સિવાય બીજું કંઈ ભાગ્યે જ સૂઝે છે. અપરિગ્રહની વિશ્વલ્યાણક ભાવનાનો પડછાયો પણ આજે દેખાતો નથી. એ બધું આપણને કયાં
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy