SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ મામ જીવન ઝંઝટ યોગ્ય) પદાર્થનો ત્યાગ અને ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) પદાર્થનું ગ્રહણ તેમાં હોતાં નથી. આવા વૈરાગ્યમાં “આર્તધ્યાન મુખ્ય હોવાથી, તે ઉગ કરનારો, વિષાદથી ભરેલો અને આત્મઘાતકતા આદિનો કારણભૂત હોય છે. માત્ર લોકદષ્ટિએ જ તેને વૈરાગ્ય કહેવાય છે. - “મોહગર્ભિત’ વૈરાગ્યમાં જે “મોહ’ શબ્દ છે, તે સાંસારિક મોહના અર્થમાં નહિ, પરંતુ એકાન્તિક મૂઢ દષ્ટિના અર્થમાં વપરાયો છે. એવા એકાન્તવાદી તત્ત્વજ્ઞાનથી જન્મેલો સત્ય વૈરાગ્ય પણ ભ્રાંતિજનક હોવાથી, એને છોડીને જ્ઞાનગર્ભ વૈરાગ્ય જ સ્વીકારવા લાયક છે એમ જૈન શાસ્ત્રકારોએ માન્યું છે. જ્ઞાનગર્ભ વૈરાગ્ય એટલે જેમાં અનેકાન્તવાદી તત્ત્વોને અનુસરતું નિર્મળ જ્ઞાન છે એવો વૈરાગ્ય. મોહગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એટલે શું, એ બંને વાતો શ્રી. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સમજાવી ગયા છે. તેઓશ્રીએ ફરમાવેલું આત્મા એક (જ) છે, આત્મા નિત્ય (જ) છે, આત્મા અબજ) છે, આત્મા ક્ષણક્ષયી (જ) છે, કે આત્મા અસત્ (જ) છે, એવા એકાંત-નિર્ણયથી સંસારની નિર્ગુણતાને વારંવાર જોવા છતાં અને એના ત્યાગ માટે ઉપશમ તથા સદાચારનું ભાવથી સેવન કરવા છતાં, તેવા પુરૂષોનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત નહિ પણ મોહગર્ભિત જ છે.” “સજ્ઞાનગર્ભિત વૈરાગ્ય તેઓનો જ હોય છે, જેઓ, સ્યાદવાદ સમજણનું અવલંબન લઈ, આત્માને સમષ્ટિ ચૈતન્યરૂપે એક, પણ વ્યષ્ટિ ચૈતન્યરૂપે અનેક, દ્રવ્યરૂપે નિત્ય પણ પર્યાયરૂપે ક્ષણિક, નિશ્ચયનયથી અબદ્ધ પણ વ્યવહારનયથી બદ્ધ, પરસ્વરૂપે અસત્ પણ સ્વસ્વરૂપે સત, એમ બંને યથાસ્થિત માને છે; તથા, સંસારદશામાં બાહ્ય પૌલિક કર્મના સંબંધથી, ઇચ્છા-દ્વેષ આદિ કષાયોને આધીન પરાધીન-બની, ભયંકર ભવસંસારમાં ભટક્તા એવા પોતાના આત્માને તેમાંથી મુક્ત કરવા, વિધિપૂર્વક સંસારનો ત્યાગ કરે છે. એમનો વૈરાગ્ય જ જ્ઞાનગર્ભિત અને સિદ્ધિનું અનન્ય સાધન બને છે.” હવે, સાધુ બાવા, સંત, મહંત, ભુવા, સ્વામી વિગેરે આજના વૈરાગીવર્ગ ઉપર નજર કરો, જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી પ્રેરાઇને સંસારનો ત્યાગ કર્યો હોય, એવા તેમાં કેટલા હશે? આમાં ટીકા કરવાનો આશય નથી. ત્યાગમાર્ગ ઉત્તમ છે, એ વિષે કશી જ શંકા નથી. કોઈ પણ ત્યાગી-વૈરાગીને જોઈને મસ્તક આપોઆપ ઝૂકી પડે છે. સર્વવિરતિ માર્ગનું પાલન કરતા જૈન સાધુઓ અને આત્માની સમસ્ત વિશ્વ સાથેની
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy