________________
૧૭૦)
અનેકાંત અને સ્યાદ્વાદ , સમગ્ર વિશ્વની રચનાના આધાર રૂપ જે છ દ્રવ્યો જૈન તત્ત્વજ્ઞાનીઓએ બતાવ્યાં છે, તેમાં પુદ્ગલ પણ એક દ્રવ્ય (પદાર્થ - Substance ) છે. એમ જણાવ્યું છે, અત્યંત સૂક્ષ્મ એવા અણુપરમાણુઓનો સમૂહ આ પુદ્ગલ દ્રવ્યમાં આવી જાય છે. આ દ્રવ્ય પણ, પરસ્પર વિરોધી એવા અનેક ગુણધર્મ ધરાવે છે.
આધુનિક વિજ્ઞાને, બારીકમાં બારીક પરમાણુને જોવા માટે જે અદ્યતન સાધનો બનાવ્યાં છે, તે હજુ સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ પરમાણુઓ સુધી પહોંચ્યા નથી, આ કર્મ પણ, અતિ સૂક્ષ્મ-સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુઓનો એક સમૂહ છે. અન્ય અણુપરમાણુઓની જેમ, એ પણ, છૂટા પડવાના અને જોડાઈ જવાના સ્વભાવવાળો છે. ભૌતિક વિજ્ઞાન પાસે આ જાણવાનાં કે જોવાનાં સાધનો નથી.
એક સમય હતો, જયારે આવું બધું માનવાની વિજ્ઞાનપ્રેમીઓ ના પાડતા હતા. પરંતુ, આજે હવે તેઓ ના પાડતા નથી.
જૈન તત્વવેત્તાઓએ હજારો લાખો વર્ષ પહેલાંથી કહેલું છે “શબ્દ' એ પણ . પુગલોનો એક સમૂહ છે. એક સમયે આ વાત વિજ્ઞાનવાદીઓ સ્વીકારતા નહોતા. ગ્રામોફોનની રેકર્ડમાં શબ્દને બાંધવાની જ્યારે શોધ થઈ ત્યારે આ વાત આખા જગતે કબૂલ કરી.
તાર-દોરડાંની મદદ વિના, વાયરલેસથી, બિનતારી સંદેશાઓની આપલે જ્યારથી શરૂ થઈ, ત્યારથી વિજ્ઞાનના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી સંશોધન-યુગ શરૂ થયો. મુંબઈમાં આપણે જે બોલીએ તે હવાના મોજા ઉપર સ્વારી કરીને આખા જગતમાં, એક ક્ષણવારમાં ફરી વળે છે અને હજારો માઈલ દૂર, વૈજ્ઞાનિક સાધનો વડે બીજા લોકો એ સાંભળી શકે છે. આ વાતના અનુભવ પછી, સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુરૂપી પુદ્ગલો શબ્દમાં વિદ્યમાન છે. એ જૈન દર્શનની વાત સૌએ કબૂલ રાખી છે.
એ જ રીતે, કર્મ એ પણ પુલગોનો સમૂહ છે, Substance છે. આ વાત આજે ભલે વૈજ્ઞાનિક વર્ગ કબૂલ ન રાખે, એ એક સિદ્ધ હકીકત છે અને એનો સ્વીકાર, વિચારકોને વહેલો કે મોડો, થયા વિના રહેવાનો જ નથી.
જૈન તત્ત્વજ્ઞાનમાં, “વિચાર” ને પણ પુદ્ગલ-substance-માનવામાં આવે છે. શુદ્ધ તાત્વિક રીતે, વિચાર’ એ મનનાં સૂક્ષ્મ પુદ્ગલોની ક્રિયા છે. ભાષણ એ જેમ શબ્દ પુગલની ક્રિયા છે તેમ વિચારો દ્વારા મનમાં થતી ક્રિયા પણ, મનોવર્ગણા નામથી ઓળખાતાં પુદ્ગલોની ક્રિયા છે.
ભાવ-ક્રિયા મન દ્વારા થાય છે, એમાં વિચારનું પ્રાધાન્ય છે. મનમાં પણ ‘ભાવમન’ અને ‘દ્રવ્ય-મન' એવા બે વિભાગ છે. અહિ વિચાર ‘દ્રવ્ય-મન' સાથે સંબંધ