________________
૧૪૮
અનેમંત અને સ્યાદ્વાદ , આપણે નિરાશ કરતા નથી. બેરિસ્ટર સાહેબની ઉદારતા અંગેની બધી અપેક્ષાઓથી આપણે તેમને વાકેફ કરીએ છીએ અથવા તો આપણા જવાબ દ્વારા એ બધી શરતોથી માહિતગાર થવાનું આપણે તેમને સૂચવીએ છીએ.
હવે ચતુર્ભુજભાઈ આપણને જણાવે છે કે હું બેરિસ્ટર સાહેબની જ્ઞાતિનો સભ્ય છું અને મારે મારા પુત્રના શિક્ષણ અંગે સહાયની જરૂર છે.
આ વાત કરીને ઉદારતાના આ ઉમેદવાર ક્ષેત્ર ઉપરાંત ભાવની અપેક્ષાને પરિપૂર્ણ કરે છે. એમનો કેસ એટલો મજબુત બને છે. એટલે બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ તેમને મળવો જોઈએ. આમ છતાં બીજી અપેક્ષાઓ પૂર્ણ થાય છે કે કેમ તે આપણે જાણતા નથી. એટલે, પાંચમા ભંગનો આશ્રય લઈને આપણે એમને એવો સ્પષ્ટ જવાબ આપી શકીશું કે :
“બેરિસ્ટર સાહેબ ઉદાર છે અને અવક્તવ્ય છે અર્થાત્ કંઈ કહી શકાય નહિ એટલે બેરિસ્ટર ઉદાર તો છે જ પણ એમનો લાભ ચતુર્ભુજભાઈને મળશે કે કેમ તે નિશ્ચિતપણે કહેવાની સ્થિતિમાં હજુ આપણે આવ્યા નથી. એટલે, આપણો આ જવાબ તદન સ્પષ્ટ અને વાસ્તવિક છે.
હવે, આ ચતુર્ભુજભાઈ સાથે વાતચીત કરતાં આપણને જાણવા મળે છે કે તેઓ સામાન્ય રીતે સુખી કહી શકાય તેવી સ્થિતિના છે. એમના જણાવવા મુજબ, ઘરના સામાન્ય ખર્ચ પુરતી આવક એમને છે; પરંતુ એમના પુત્રના કોલેજમાંના ઉચ્ચ શિક્ષણ અંગે થતા ખર્ચને પહોંચી વળવામાં એમને મુશ્કેલી પડે છે.
આ વાતથી, તેઓ “ગરીબ નથી એમ નક્કી થઈ જાય છે. બેરિસ્ટરની ઉદારતા સ્વ-ક્ષેત્રની જે અપેક્ષા, તેઓ તેમની જ્ઞાતિના હોવાથી પૂર્ણ થતી હતી તે અહીં કાચી પડી જાય છે. અને અન્ય અપેક્ષાઓ તો પાછી ઉભેલી જ છે. આ સંજોગોમાં બેરિસ્ટર સાહેબની ઉદારતાનો લાભ એમને નહિ મળે એવો નિશ્ચિત અભિપ્રાય આપણે બાંધી લઈએ છીએ, આમ છતાં, એમની સફળતા કે નિષ્ફળતાનો આધાર, ઉદારતા અંગેના બેરિસ્ટર સાહેબના સ્વ-ક્ષેત્રની અપેક્ષા પરિપૂર્ણ થાય છે એ વાતની પ્રતીતિ તેઓ સાહેબને કેવી રીતે થાય છે એના ઉપર હોવાથી, હવે છઠ્ઠા ભંગનો આશ્રય લઈને આપણે ચતુર્ભુજભાઈને કહીશું કે :
‘બેરિસ્ટર સાહેબની ઉદારતા નથી અને અવક્તવ્ય છે.”
અર્થાત, ચતુર્ભુજભાઈ ગરીબ હોય તેવું આપણને લાગતું નથી એટલે બેરિસ્ટર સાહેબ પર-ક્ષેત્રની અપેક્ષાએ ઉદાર નથી. જ્યારે તે સિવાયની બીજી અપેક્ષાઓ માટે ચિત્ર અસ્પષ્ટ હોવાથી, ચતુર્ભુજભાઈ તેમની પાસે જાય તો શું પરિણામ આવશે એ આપણે જાણતા નથી એનું વર્ણન આપણે કરી શકતા નથી.