SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ અનેકાંત અને સ્યાદ્વાદ , સ્યાદ્વાદ એક સુંદર સમતુલા-balance- સમો છે. કર્મથી બદ્ધ થએલા સંસારી જીવને નિશ્ચય દૃષ્ટિ જાળવવા માટે વ્યવહારના આચરણમાં કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય છે, એ વાતનો જૈન દાર્શનિકોને બરાબર ખ્યાલ છે. એટલે વ્યવહારમાં ‘ઉત્સર્ગ’ અને ‘અપવાદ' એવા બે વિભાગો તેમણે બતાવ્યા છે. ‘ઉત્સર્ગ' એટલે નિશ્ચય તરફ દોરી જતો મૂળ માર્ગ-Right Royal Highway. “અપવાદ એટલે મૂળ માર્ગના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતો પેટા માર્ગ-Diversion. આ જે “અપવાદ છે, તે પેલા મૂળ માર્ગના રક્ષણ માટે અને એના સફળ અનુસરણ માટે છે. એને પણ, સાધ્યની સિદ્ધિના એક સાધન-ઉપાય તરીકે જ બતાવવામાં આવ્યો છે. આ સમજવા માટે આપણે એક સાદું અને સરળ વ્યવહારિક દૃષ્ટાંત લઇએ. અમદાવાદથી આગ્રા જવા માટે મોટર લઈને, મોટર માર્ગે National Highway ઉપર આપણે પ્રવાસ કરી રહ્યા છીએ. આ ધોરી માર્ગ ઉપર, રસ્તામાં કોઈ જગ્યાએ ભંગાણ થયું હોય અથવા મરામતનું (Repair work) કામ ચાલતું. હોય. ત્યારે આપણે શું કરીએ છીએ? ત્યાં અટકીને ઉભા રહીએ છીએ ?ના. તે વખતે આપણે મૂળ ધોરી માર્ગની આજુબાજુમાં આવેલા પેટા માં (Diversion) નો આશ્રય લઇએ છીએ. એ પેટા માર્ગ પણ આપણે એવો વાપરીએ છીએ, જે આપણને પાછો મૂળ રાજમાર્ગ ઉપર પહોંચાડી દે. અહીં, માર્ગ પરનાં ભંગાણ કે ખોદાણ આગળ અટકી જવાને બદલે, આપણે બીજા માર્ગ ઉપર વળી ગયા, ત્યારે પણ આપણી નજર મૂળ માર્ગ ઉપર પાછા આવવાની જ હતી. વ્યવહાર દષ્ટીથી, ધર્મના આચરણમાં પણ આવી કોઈ પરિસ્થિતિ ઉપર આપણે આવી પહોંચીએ, ત્યારે, બીજો કોઈ ઉપાય ન હોવાના કારણે, આપણે અપવાદ માર્ગનો આશ્રય લેવો પડે છે. પરંતુ આ રીતના અપવાદમાં પણ આપણી દૃષ્ટિ નિશ્ચય ઉપર જ હોવી જોઇએ. જ્યારે પણ કોઇ અપવાદ (Diversion)નો ઉપયોગ કરવાનો પ્રસંગ આવે, ત્યારે નિશ્ચયના રક્ષણ તથા અનુસરણ માટે જ આપણે તેનો ઉપયોગ કરવાનો છે. એવા કોઇ અપવાદના ઉપયોગમાં જો ઉત્સર્ગને-મૂળ માર્ગને આપણે ચૂકી જઇએ તો આપણે પાછા ચક્કરમાં જ પડી જઈએ. આ વાત બરાબર યાદ રાખવાની છે. સીધા માર્ગ ઉપર ચાલવામાં અકસ્માત કે પ્રાણહાનિનો ભય નથી. આધ્યાત્મિક ક્ષેત્રની આટલી વાત કર્યા પછી, ભૌતિક ક્ષેત્રમાં આ નિશ્ચય અને વ્યવહારની શું ઉપયોગિતા છે, તે સમજવાનું પણ રસપ્રદ થઇ જશે. . આ બાબતની ચર્ચા કરતાં પહેલાં એક વાત બરાબર ધ્યાનમાં રાખવાની છે.
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy