SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ માં સાત નય ૧૦૯ આ સાતે નય મળીને જે શ્રુત બતાવે છે, તે પ્રમાણભૃત’ કહેવાય છે. આમાં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે, કે આ બધાય નયો પરસ્પર સાપેક્ષ હોય તો જ સત્ય છે, અન્યથા મિથ્યા છે, દુર્નય છે. એ સાતે નયો પોતપોતાના સ્થાને અમુક - નિશ્ચિત વસ્તુ બતાવે છે, પરંતુ, બીજા નયે બતાવેલી વસ્તુનું ખંડન કરે, તો તે ‘નયા ભાસ” અથવા “દુર્નય’ બની જાય છે. * વસ્તુના અન્ય સ્વરૂપોનું ખંડન કર્યા વિના પોતાની માન્યતાને જે સ્વીકારે તે સુનય છે. બીજા નયને સાપેક્ષ રહીને, બીજી અપેક્ષાઓને આધીન રહીને, વસ્તુનું યથાર્થ સ્વરૂપ બતાવે ત્યારે તેની ગણના, “સ્યાદ્વાદ શ્રત'માં થાય છે. - અહીં એક વાર ફરીથી પેલા “ચાત્' શબ્દને આપણે યાદ કરી લઈએ. આ શબ્દનું પ્રયોજન અન્ય નયોની સાપેક્ષતા સૂચવવા માટે છે. પરસ્પર વિરુદ્ધ એવા ધર્મોનો એક જ વસ્તુમાં સ્વીકાર કરવા માટે, પૂરી સમજણથી સ્વીકાર કરવા માટે જ, આ સ્યાદ્વાદ સિદ્ધાંતની આવશ્યક્તા છે. જૈન દર્શનની એ જ એક વિશિષ્ટ અપૂર્વતા છે. વસ્તુ એક જ હોવા છતાં, એના ભિન્ન ભિન્ન સ્વરૂપો બુદ્ધિમાં ઉદ્દભવે જ છે. આ ભિન્ન ભિન્ન પ્રકારની બુદ્ધિને આપણે “નય બુદ્ધિ' કહી શકીશું. પ્રત્યેક વસ્તુ અનેકગુણધર્માત્મક છે. નયની સહાયથી, એ ભિન્ન ભિન્ન ગુણધર્મોને જાણવાનું થતું જ્ઞાન જે છે, તે પણ ભિન્ન ભિન્ન છે. દરેક વ્યક્તિ પોતપોતાની શક્તિ અને સમજણ અનુસાર -Calibre and catagory મુજબ-તે જાણી યા સમજી શકે છે. - પાછળના પાનાંઓમાં જે ચાર પ્રમાણો આપણે જોયા છે, તે પ્રમાણો વસ્તુને સમગ્રપણે જણાવતા હોવાથી ખાસ મતભેદો ઉભા થતા નથી. પરંતુ વસ્તુને અંશથી જ્યારે જોવામાં આવે છે, ત્યારે ત્યાં મતભેદને સ્થાન રહે છે. આ મતભેદો નિવારવાનું સાધન તે આ “નય-જ્ઞાન છે. આપણી મનોગત સમજણ જે છે, જેને જૈન તત્ત્વજ્ઞાનની પરિભાષામાં અધ્યવસાય’ કહેવામાં આવે છે, તે આપણો એક અભિપ્રાય છે. આ અભિપ્રાય શબ્દ દ્વારા અર્થ દ્વારા એમ બે પ્રકારે વર્તે છે. શબ્દમાં બે પ્રકાર હોય છે. એક રૂઢીગત-રૂઢી અને પરંપરાથી જે વપરાય છે. બીજો શબ્દ વ્યુત્પત્તિથી એટલે વ્યાખ્યાથી બનેલો હોય છે. આવી જ રીતે, અર્થના પણ બે ભેદ છે. એક “સામાન્ય’ - Common અને બીજો વિશેષ-Specific. આપણે જે સાત નયો જોઇ ગયા, તેમાં પ્રથમના ચાર નય, “નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર' અર્થપ્રધાન નય છે. છેલ્લા ત્રણ, “શબ્દ સમભિરૂઢ અને
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy