SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ED સાત નય - ૧૦૭ - અંગ્રેજીમાં આ નયને ‘Specific knowledge' કહે છે. આ નયની વિશિષ્ટતા એ છે કે, શબ્દના પ્રચલિત અર્થને નહિ, પણ મૂળ અર્થને તે બતાવે છે. દાખલા તરીકે, શ્રીકૃષ્ણના અનેક નામો છે. આ દરેક નામમાં કોઇને કોઇ ખાસ Specific અર્થ હોય જ છે. એ બધાય નામો વ્યવહારમાં શ્રીકૃષ્ણ'નું એક જ નામ સૂચવનારા હોવા છતાં સમભિરૂઢ દૃષ્ટિથી નામભેદે તે દરેકના જુદા જુદા અર્થ છે. “રાજા શબ્દનો અર્થ ‘રાજ્ય કરનાર’ એવો થાય છે. એમને માટે “ગૌબ્રાહ્મણ પ્રતિપાળ” એવો શબ્દ પ્રયોગ જયારે કરવામાં આવે, ત્યારે શબ્દભેદે અર્થભેદ પણ થઈ જાય છે. અહીં, રાજ્ય કરવાનો અને ગાય તથા બ્રાહ્મણનું પાલન કરવાનો એવા બંને ધર્મો રાજામાં છે. પરંતુ આ સમભિરૂઢ નય, રાજાના તે તે ધર્મ લઈને જે જ્યાં કાર્યશીલ હશે ત્યાં તે શબ્દ વાપરશે. આમ, “શબ્દભેદે' અર્થભેદને જાણે તથા સમજાવે તે સમભિરૂઢ નય કહેવાય છે.” * ૭. એવંભૂત નય : આ નય ક્રિયાશીલ Active નય છે. શબ્દના ક્રિયાત્મક અર્થને તે ગ્રહણ કરે છે અને જે વખતે ક્રિયા થતી હોય, તે જ વખતે, ક્રિયાના તે જ અર્થમાં તે શબ્દને તે ઘટાવે છે. આ નયનું નામ “એવંભૂત છે, તે એટલા માટે છે, કે તેના શબ્દનો જે અર્થ છે, તે જ પ્રમાણે (એવું) વસ્તુ હાલ થયેલી ભૂત) છે. એટલે કે તે વસ્તુનો તે સંયોગોમાં જ તે સ્વીકાર કરશે, કોઇપણ શબ્દમાં જે ક્રિયાનો . ભાવ રહેલો હોય, તે ક્રિયામાં જો વર્તમાનમાં ચાલુ નહિ હોય, તો તે શબ્દનો તે અર્થમાં આ નય સ્વીકાર નહિ કરે. આપણે ઉપર જોયું કે “શબ્દ નય, વ્યાકરણ ભેદે અર્થભેદ' બતાવે છે. જ્યારે : આ એવંભૂત નય “ક્રિયાભેદે અર્થભેદ બતાવે છે. આમાં ખાસ ખ્યાલમાં રાખવાની વાત એ છે, કે શબ્દના અર્થમાં ઉલ્લેખાયેલી ક્રિયા જે વખતે ન થતી હોય, તે . વખતે, એ અર્થમાં આ નય કબુલ રાખતો નથી. : દાખલા તરીકે, “ગાયક' શબ્દનો અર્થ “ગીત ગાનાર' એવો થાય છે. એવંભૂત નય એને સર્વ કાળે ગાયક તરીકે નહિ સ્વીકારે. એ માણસ જ્યારે ગીત ગાવા રૂપી ક્રિયા કરતો હશે, ત્યારે જ એને “ગાયક' તરીકે સ્વીકારશે. એ જ રીતે પૂજારી જ્યારે પૂજાની ક્રિયા કરતો હશે ત્યારે જ આ નય એને “પૂજારી” કહેશે. વ્યવહારમાં આ નય અનુસારનું વર્તન ઘણીવાર થતું આપણા જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈ એક સરકારી કર્મચારી કે મિલમાં કામ કરતો કારીગર, * જે વખતે પોતપોતાની ફરજ ઉપર હશે, તે વખતે રાજ્યતંત્ર અથવા મિલનું વહીવટી તંત્ર, તેમની સાથે જે રીતે વર્તશે, તેવી જ રીતે ફરજ પુરી થયાના સમય પછી નહિ વર્તે.
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy