SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ श्रीकुमारविहारशतकम् सर्वत्र निर्मलतमोपलबिंबितानि स्वान्येव पुष्पबलिजूंषि वपूंषि वीक्ष्य । संघट्टकष्टचकिताः प्रतिपालयतो मध्यं चिरेण खलु यस्य विशंति मुग्धाः ॥२०॥ ___ अवचूर्णिः- सर्वत्र निर्मलतमोपलबिंबितानि पुष्यबलिजूंषि स्वान्येव वपूंषि वीक्ष्य संघट्टकष्टचकिताः प्रतिपालयतः मुग्धाः खलु यस्य मध्यं चिरेण । प्रविशंति पुष्पाणि बलयश्च पुष्पबलयः पुष्पबलीन् जुषंतीति पुष्पबलिजूंषि . जुष्धातोः क्विपि जुष् । घंटालालान्यायेन वीक्ष्य प्रतिपालयंतः इति शतृत्त्वाप्रत्यययोः कर्म वपूंष्येव ॥२०॥ ભાવાર્થ - સર્વ સ્થળે રહેલા અતિ નિર્મળ સ્ફટિક મણિના પાષાણોની અંદર પુષ્પના બલિ સાથે રહેલા પોતાના જ શરીરને જોઈ સંઘટ્ટ થવાના (ભીડ થવાના) કટથી ભય પામી રાહ જોઈ ઉભા રહેલા મુગ્ધ લોકો તે ચૈત્યની મધ્યમાં ચિરકાલે પ્રવેશ કરે છે. ૨૦ વિશેષાર્થ - તે ચૈત્યની અંદર પુષ્પના બલિને લઈ પૂજા કરવા આવેલા મુગ્ધ લોકો, પોતાના શરીરને અતિ નિર્મલ એવા સ્ફટિક મણિમાં પ્રતિબિંબિત થયેલાં જોઈ તેઓ મુગ્ધપણાને લઈને એમ સમજે છે કે, અહિં લોકોની ભીડ ઘણી છે, તેથી ભય પામી તેઓ ભીડ દૂર થવાની રાહ જોઈ ઉભા રહે છે અને તે કારણથી તેઓ ઘણીવારે ચૈત્યની અંદર દાખલ થાય છે આ ઉપરથી એમ દર્શાવ્યું છે કે, તે ચૈત્યમાં નિર્મલ સ્ફટિકમણિ જડ્યા હતા અને ત્યાં જિનપૂજા કરવાને ઘણાં લોકો આવતા હતા. ૨૦
SR No.005880
Book TitleKumar Viharshatakam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy