SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् मध्यं वा मंडपो वा बहिरजिरमथो नाट्यलीलागृहं वा यत्र स्थानं न किंचित्प्रसभमसुमतां यन्न रुद्धं सहस्रैः । तीव्रांशुग्राववेदीतलमनलकणव्रातसंपातदुःस्थै र्दूरस्थैर्वीक्ष्यमाणं पुनरहनि जनैः शून्यपार्श्व सदैव ॥८३॥ - अवचूर्णिः- यत्र प्रासादे मध्यं वा अथवा मंडपः अथो बहिरजिरं वा अथवा नाट्यलीलागृहं तत् किंचित् स्थानं नास्ति यत् प्रसभं हठात् असुमतां सहस्रः निरुद्धं व्याप्तं नं । पुनः अहनि दिने सदैव अनलकणवातसंपातदुःस्थैर्दुःखितैः दूरस्थैः जनैः वीक्ष्यमाणं तीव्रांशुग्राववेदीतलं शून्यपार्श्व अस्तीत्यध्याहार्यं । तीव्रांशुः सूर्यः तस्य ग्रावाणः सूर्योपलाः ॥८३॥ ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યનો મધ્ય ભાગ, મંડપ, બાહરનું આંગણું અને નાટ્યલીલાનું ઘર - કે કોઈ બીજું એવું સ્થાન ન હતું કે જે હજારો મનુષ્યોએ હઠથી રોકેલું ન હોય? અર્થાત્ તેના બધા સ્થાનો માણસોથી ભરપૂર હતા. માત્ર સૂર્યકાંત મણિની વેદીનું તળીયું કે જે દિવસના ભાગમાં તેમાંથી નીકળતા અગ્નિના તણખાના સમૂહ પડવાથી દુઃખી થઈ દૂર રહેલા લોકોએ જોયેલું હોવાથી સદાકાલ શૂન્ય રહેલું હતું. ૮૩ ' વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યની અંદર હજારો માણસો પૂજન અને દર્શન કરવા આવતા હતા કે, જેથી કરીને તેનો મધ્ય ભાગ, મંડપ, બાહરના આંગણાં, અને નાટ્યગૃહ વગેરે બધાં સ્થાનો તેઓથી ભરપૂર થઈ જતાં હતાં. કોઈ પણ તેનું સ્થાન માણસ વગરનું ન હતું, પણ એક સૂર્યકાંત મણિનું રચેલું વેદીનું તળીયું ફક્ત શૂન્ય દેખાતું હતું. કારણ કે, દિવસના ભાગમાં સૂર્યના તેજથી તે તળીયામાંથી અગ્નિના તણખા નીકળતા, એટલે દાઝવાના ભયથી લોકો તેનાથી દૂર રહેતા હતા.
SR No.005880
Book TitleKumar Viharshatakam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy