________________
૧૩૪
ધર્મનાં દશ લક્ષણ) બીજું શું?”
હું જાણવા માગું છું કે રૂપિયા-પૈસા જ પરિગ્રહ છે? બીજું કાંઈ પરિગ્રહ નથી? ધન-ધાન્ય, ક્ષેત્ર–વાસ્તુ, સ્ત્રી-પુત્રાદિ બાહ્ય પરિગ્રહની પણ વાત નથી તો ક્રોધ, માન, આદિ અંતરંગ પરિગ્રહોનું તો પૂછે છે જ કોણ?
જયારે એક પરિગ્રહ-પરિમાણધારીને પૂછવામાં આવ્યું કે પરિગ્રહ તો ચોવીસ હોય છે, આપે તો ચોવીસેયનું પરિમાણ કર્યુ હશે? ત્યારે તે આશ્ચર્યચકિત થઈ બોલ્યા- “ના, મેં તો માત્ર રૂપિયાનું જ પસ્મિાણ કર્યું છે, આપ બતાવો તો ચોવીસનું કરી લઈશ.” ' મેં કહ્યું, “એ તો ઠીક, પરંતુ આપે કદીએ વિચાર કર્યો છે કે ચોવીસ પરિગ્રહોનું પરિમાણ થઈ શકે કે નહી?”
તો તે તરત જ કહેવા લાગ્યા, – “કેમ ન થઈ શકે? બધું જ થઈ . શકે, દુનિયામાં એવું કહ્યું કામ છે જે માનવીથી ન થઈ શકે? માનવી ધારે તો બધું જ કરી શકે છે.”
• મેં કહ્યું, – “ઠીક, આપને ચોવીસ પરિગ્રહોનાં નામ તો આવડતાં જ હશે? પહેલો પરિગ્રહ મિથ્યાત્વ છે, એનું પરિમાણ થઈ શકે શું? જો હા, તો કેટલું મિથ્યાત્વ રાખવું અને કેટલું છોડવું? શું મિથ્યાત્વ પણ થોડું રખાય ને થોડું છોડાય – એમ થઈ શકે છે?” '
તે આશ્ચર્યથી ભોંઠા પડયા હોય તેમ જોતા રહ્યું, કેમકે મિથ્યાત્વ પણ એક પરિગ્રહ છે એ એમણે આજે જ સાંભળ્યું હતું.
અસ્તુ! મેં મારી વાત આગળ વધારતાં કહ્યું –
“ભાઈ ! મિથ્યાત્વ સંપૂર્ણ છૂટયા વિના તો વ્રત હોય જ નહીં, તેથી પરિગ્રહ-પરિમાણવ્રત ધારણ કરનારને મિથ્યાત્વ છે જ કયાં કે એનું પરિમાણ કરવામાં આવે?
એ જ પ્રમાણે ક્રોધ, માન, માયા, લોભાદિ વિકારી ભાવરૂપ અંતરંગ પરિગ્રહોનું પણ વિચાર કર્યો કદીયે ?”
ચોથા ગુણસ્થાનની અપેક્ષાઓ પાંચમાં ગુણસ્થાનમાં આત્માનો અધિક અને ઉગ્ર આશ્રય હોવાથી અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિનો અભાવ થઈ જાય છે તથા કાંઈક કમજોરીના કારણે