SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ઉન્મનીભાવની પ્રાપ્તિ થાય તે બતાવે છે ૩૯૯ કરવુ જોઇએ, અથવા પ્રણવના જાપ કરવા જોઇએ; એમ વિચાર કરી જો મનને તેના ઇચ્છિત વિષયમાંથી પાછુ ખેચવામાં આવે તે, તે જેમ મદોન્મત્ત હાથી ઠેકાણે આવતાં મહેનત આપે છે, તેમ ચેાગીરાજને અત્ય'ત ત્રાસ આપશે અને ઘણું કરીને ઠેકાણે આવશે જ ન નહિ. તેથી મનની સાથે ખેંચ ન કરતાં તેને પાતાની મેળે જ થાકવા દેવુ.... આ જ અભિપ્રાય આનંદઘનજી મહારાજે સત્તરમાં કુંથુનાથ ભગવાનના સ્તવનમાં કહ્યો છે. આગમ આગમધરને હાથે, નાવે કેમ કરી આંકુ” એટલે કે આ મને, જો એકાદ વિષયને પસંદ કર્યાં, તા પછી તેમાંથી. તેને જોર કરીને કાઢવું અશકય જેવુ થઈ પડે છે. માટે શાસ્ત્રકારે ૨૭–૨૮ લેાકમાં અમુક વિષયમાં પ્રવતતાં મનને તે વિષયમાં પ્રવર્તાવા દેવુ' અને તેમ કરીને તેને થકાવીને ઠેકાણે લાવવાના માર્ગ બતાવ્યા છે. અને તે પણુ ચેાગ્ય લાગે છે. પરંતુ અહીંઆ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, જ્યાં સુધી લેાક ૨૫– ૨૬માં બતાવેલી સ્થિતિ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી આ મનને જોરથી પણ વિષયમાં જતુ રાકવાનું છે. કદાચ તેમ ન કરતાં મનની ઈચ્છાનુસાર શરીરને વવા દેવામાં આવશે, તે પછી આ મન માટુ' અનથ કરનારૂ નીવડશે, ચિટ્ઠાન'દજી મહારાજ કહે છે કે જેમ જેમ અધિક વિષયસુખ સેવે, તેમ તેમ તૃષ્ણા દીપે” એટલે કે જેમ જેમ વિષચે મનની ઇચ્છા પ્રમાણે સેવવામાં આવશે, તેમ તેમ તે નવા વિષયેા શેાધતું જશે. આજે એક તા કાલે એ, એમ આ મનની તૃષ્ણા વધતી જશે અને તેમ કરતાં આખી જીંઈંગી સુધીમાં પણ આ મન ' વિષયાથી કંટાળશે નહિ, પણ વધારે ને વધારે વિષયા સેવવા ઇચ્છશે. માટે આ લેાકમાં લખવા-કહેવાના આશય એવા છે કે જેમને ઉદાસિનતા પ્રાપ્ત થઇ છે, પરમતત્ત્વ શેાધવાને જેએ નિર્જન સ્થાનમાં સુખાસને બિરાજ્યા છે અને મનને જુદી જુદી આત્મવિચારણામાં રાકવામાં આવ્યુ છે, તે વખતે માત્ર એકાદ ઇન્દ્રિય વિષયમાં મન લુબ્ધ થાય તા ત્યાંથી તેને જોર કરીને પાછુ ન વાળતાં થકાવી નાંખીને પાછુ' વળવાં દેવુ'. આવા ગૂઢ આશયને નહીં સમજતાં
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy