________________
૩૧૯
પ્રત્યાહાર
* સિદ્ધિ માટે પ્રાણાયામની જરૂર નથી. તે तन्नाप्नोति मनःस्वास्थ्य, प्राणायामैः कदर्थितम् । प्राणस्यायमने पीडा, तस्यां स्याञ्चित्तविद्रवः ॥ ४ ॥ पूरणे कुम्भने चैव, रेचने च परिश्रमः । ચિત્તવાળા, મુજે કહેારાષ્ટ્ર છે જ !
પ્રાણાયામ કરી કદથના પામેલું મન, સ્વસ્થતા પામતું નથી, કેમકે પ્રાણને નિગ્રહ કરતાં શરીરને પીડા થાય છે અને શરીરને પીડા થવાથી મનમાં ચપળતા થાય છે. પૂરક, કુંભક, રેચક કરવામાં પરિશ્રમ પડે છે. પરિશ્રમ કરવાથી મનમાં સંકુલેશ (બેદ) થાય છે અને મનની સંકૂલેશિત સ્થિતિ એ મોક્ષમાર્ગનું એક ખરેખર વિઘ છે. ૪-૫,
અહીં શિષ્ય શંકા કરે છે કે, પ્રાણાયામથી શરીરને પીડા અને મનની ચંચળતા થાય છે, તે એ બીજે ક માર્ગ છે, કે જેમાં શરીરને પીડા ન થાય અને મનની ચંચળતા શાંત પામે? આચાર્યશ્રી ઉત્તર આપે છે કે તે માર્ગ પ્રત્યાહાર છે. તે જ બતાવે છે. ૬. "
પ્રત્યાહાર : ક્રિ સમાજ઼ા, વિવેચ્યા ઘસાતથી - ધર્મધ્યાન માન , ના કુર્યાત નિશ્ચમ્ | દા
શખ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચે વિષેમાંથી ઈન્દ્રિયો સાથે મનને પણ બરાબર ખેંચી લઈ, અત્યંત શાંત બુદ્ધિવાળાએ ધર્મધ્યાન કરવા માટે મનને નિશ્ચલ કરી રાખવું.
વિવેચન–શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, એ પાંચ વિષયમાંથી મનને કાઢી લેતાં બુદ્ધિ શત થઈ રહે છે અને એ પાંચ વિષય સંબંધે મનમાં આવતા વિચારોમાંથી મન મોકળું કરતાં બુદ્ધિ અત્યંત શાંત થઈ રહે છે. એનું જ નામ પ્રશાન્ત બુદ્ધિવાળા થવું. માટે પ્રથમ બાહ્ય વિષમાંથી અને પછી અંતરમાં