________________
નવ લેકે કરીને ઉપયુતિથી કાળજ્ઞાન કહે છે. કે પશ્ચિમ દિશા તરફ જવું. જતાં પહેલાં નવકારમંત્રથી અથવા સૂરિમંત્રે કરી કાનને પવિત્ર (મંત્રિત) કરો અને ત્યાર પછી ઘરથી નીકળતાં રસ્તામાં કેઈને શબ્દ કાનમાં ન આવે તેવી રીતે કાનને ઢાંકી કારીગરોના ઘર તરફ અથવા બજારમાં પૂર્વે કહેલી દિશા તરફ જવું. કારીગરના ઘર પાસે યા બજારમાં જઈ તે ભૂમિનું ચંદન વડે પૂજન કરી તેના ઉપર ગંધ અક્ષત ( બરાસ ચેખા) નાખી સાવધાન થઈ ત્યાં કેઈ પણ મનુષ્યનો શબ્દ થતો હોય તે કાન ખુલ્લા કરીને સાંભળી તે સંભળાતા શબ્દો બે પ્રકારના હોય છે. એક અર્થાતરાપદેશ્યાપિશ્રવી અને બીજે સ્વરૂપ ઉપગ્રુતિ; અર્થાતરાપદેશ્ય ઉપકૃતિ એટલે જે શબ્દ સાંભળવામાં આવે તેને કેઈ બીજો અર્થ કલ્પ અને સ્વરૂપ ઉપકૃતિ એટલે જે શબ્દ સાંભળે તે જ અર્થ કલ્પ યા ગ્રહણ કરે, પહેલે અર્થતાપદેશ્ય વિચારથી જાણી શકાય તેમ છે અને બીજા સ્વરૂપ અર્થ પ્રકટ જાણી શકાય તેમ છે. ( અર્થાતરાપદેશ્ય ઉપકૃતિ બતાવે છે ) જેમકે આ ઘરને સ્તંભ પાંચ છ દિવસે થી પાંચ છ પખવાડીએ યા મહિને કે વર્ષે ભાંગી જશે અથવા નહિ ભાંગે, તે ઘણું સારું હતું પણ જલદી ભાંગી જશે વિગેરે, આથી પિતાના આયુષ્યને તે જ નિર્ણય કરી કરી લે કે તેટલા દિવસે મહિને કે વર્ષે પિતાનું મરણ નિપજશે. એ અતરાપદેશ્યકૃતિ જાણવી. હવે બીજી સ્વરૂપ આશ્રયિ શ્રેણિ કહે છે. જેમકે આ પુરુષ કે સ્ત્રી આ સ્થાનથી જશે નહિ. અમે તેને જવા પણ ન દઈશું. અને તે જવાને ઈચ્છક પણ નથી. અથવા જવાની ઈચ્છા કરે છે, હું પણ તેને મોકલવા ઈચ્છું છું માટે આ હવે જલદી અહીંથી જશે. આ સ્વરૂપઉપકૃતિ કહેવાય છે. આથી સમજી લેવાનું છે કે જે જવાનું સાંભળે મરણ નજીક છે અને રહેવાનું સાંભળે તે હમણાં મરણ નથી. આ પ્રમાણે કાન ખુલ્લા કરી પોતે સાંભળેલી ઉપગ્રુતિ પ્રમાણે કુશલ માણસો નજીક કે દર પિતાના આયુષ્યને નિર્ણય જાણે છે. ૧૮૮ થી ૧૯૬.