SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ યેગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ એ સાતનાં અનુક્રમે લક્ષણા મતાવે છે यत्कोष्ठादतियत्नेन, नासाब्रह्मपुराननैः । '' बहिः प्रक्षेपणं वायोः स रेचक इति स्मृतः ॥ ६॥ કાઠામાંથી ઘણા પ્રયત્નપૂર્વક નાસિકા, બ્રહ્મરંધ્ર અને મુખે કરી વાયુને બહાર કાઢવા તેને રેચક પ્રાણાયામ કહ્યો છે. ૬. समाकृष्य यदापानात्, पूरणं स तु पूरक: । નામિત્રે સ્થિરીત્ય, ોધન હૈં તુ મઃ ॥ 9 ॥ બહારથી પવનને ખેંચીને અપાન ( ગુદાદ્વાર ). પર્યંત કાઠામાં પૂરવા તે પૂરક અને નાભિકમળમાં સ્થિર કરીને તેને શકવા તે કુંભક કહેવાય છે. ૭. स्थानात्स्थानान्तरोत्कर्षः, प्रत्याहारः प्रकीर्त्तितः । तालुनासाऽऽननद्वारैर्निरोधः शांत उच्खते ॥ ८ ॥ એક સ્થાનથી બીજા સ્થાનમાં વાયુને ખેડચી જવા તેને પ્રત્યા હાર કહ્યો છે અને તાળવું, નાસિકા તથા મુખના દ્વારાથી વાયુને નિરોધ કરવા તેને શાંત કહે છે. ૮. વિવેચન—નાભિથી વાયુને ખેં'ચી હૃદયમાં લઈ જવા, હદ યથી નાભિમાં લઈ જવા વિગેરે એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવા તે પ્રત્યાહાર પ્રાણાયામ. શાંત અને કું ભકમાં ફેર એટલો જણાય છે કે કુંભકમાં, નાભિકમળમાં પવનને રેવામાં આવે છે અને શાંતમાં તેવા નિયમ નથી પણ નિકળવાનાં દ્વારાથી રાકવા તેવા સામાન્ય નિયમ છે. ૮. आपीयोध्वं यदुत्कृष्य, हृदयादिषु धारणम् । ઉત્તર: સ સમાવ્યાતો, વિપરીતતતોઽધરઃ ॥ ૧ ॥ બહારના વાયુને પીને ઉંચે ખેંચી હૃદયાદિકને વિષે ધારી રાખવા તે ઉત્તર પ્રાણાયામ અને તેથી અવળી રીતે એટલે નાભિ આદિ નીચા પ્રદેશમાં ધારી રાખવા તે અધર પ્રાણાયામ. ૯.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy