SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ સુઆખ્યાતના ભાવના ૨૪૩ પ્રકાર છે. આ બાહ્ય અને અત્યંતર તરૂપ અગ્નિ પ્રદીપ્ત થયે છતે સંયમવાન્ મુનિએ દુઃખે દૂર કરી શકાય તેવાં પણ કને તત્કાળ બાળી ભસ્મસાત્ કરે છે. ૮૬ થી ૯૧. વિવેચન–સરોવરમાં પાણી આવવાના સર્વ દ્વારા બંધ કરતાં, જેમ નવીન પાણીથી સરોવર ભરાતું નથી, તેમ સંવરવડે આશ્રવને નિરોધ કરવાથી નવીન કર્મ દ્રવ્ય વડે આ જીવ પુરાતે નથી. જેમ પૂર્વે એકઠું થએલું સરેવનું પણ સૂર્યનાં તીવ્ર તાપથી સૂકાઈ જાય છે, તેમ પૂર્વનાં બાંધેલ સર્વ કર્મો તપસ્યાથી સેસાઈને ક્ષય થાય છે. નિજ માટે બાહા તપથી અત્યંતર ત૫ શ્રેષ્ઠ છે અને અભ્યતર તપમાં પણ ધ્યાન છે તે મુગટ તુલ્ય છે, કેમકે ધ્યાનવાળા મુનિઓ, ઘણા કાળનાં એકઠાં કરેલા, ઘણાં અને પ્રબળ કર્મોને પણ એક ક્ષણ માત્રમાં નિર્જરી નાંખે છે. જેમ વૃદ્ધિ પામેલ અજીર્ણાદિ દોષ લાંઘણ કરવાથી શેસાઈ જાય છે, તેમ તપસ્યાથી પૂર્વ સંચિત કર્મો ક્ષય થાય છે. જેમાં પ્રચંડ પવનથી વાદળને સમૂહ વિખરાઈ જાય છે તેમ તપસ્યાથી કર્મો છૂટી જાય છે. આ બે પ્રકારના ત૫ વડે નિર્જરા કરતાં સર્વ કર્મના ક્ષયથી મેલ પ્રાપ્ત થાય છે. માટે સંસારસમુદ્ર પાર ઉતરવા સેતુ (પાળ યા પુલ) તુલ્ય અને મમત્વ નાશના કારણરૂપ. આ નિર્જરા ભાવનાને વારંવાર યાદ કરવી અને તે પ્રમાણે વર્તન કરવું. ' ધમ સુખ્યાતતા ભાવના स्वाख्यातः खलु धर्मोऽयं, भगवद्भिर्जिनोत्तमैः । यं समालम्बमानो हि, न मज्जेद् भवसागरे ॥ ९२ ॥ संयमः सूनृतं शौचं, ब्रह्माकिञ्चनता तपः ।। क्षान्तिदिवमृजुता मुक्तिश्च दशधा स तु ॥ ९३ ॥ - ભગવાન કેવળજ્ઞાની તીર્થકરોએ વિધિ પ્રતિષધરૂપ આ ધર્મ ઘણી જ સરસ રીતે પૂર્વાપર વિરોધ રહિત કહ્યો છે કે જે ધર્મનું દુર્ગતિમાં પડવાના ભયથી અવલંબન કરનાર માણસ સંસારસાગરમાં
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy