SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ એક એક ઇંદ્રિયેાની પરાધીનતાથી મરણ થાય છે ૨૧૭ હાથણી સંબધી વિષય સુખના આસ્વાદ માટે સુંઢને પ્રસારણ ( લાંખી ) કરનાર હાથી આલાન સ્ત ંભ સાથે બધનના ફ્લેશને તત્કાળ પામે છે. અગાધ (ઊંડા) પાણીમાં રહેવાવાળા માછલે જાળની સાથે ખાંધેલા લેાઢાના કાંટા ઉપર રહેલ માંસને ભક્ષણ કરતા દીન થઈ માછીમારાના હાથમાં સપડાય છે. મદોન્મત્ત હાથીના કપાળ ઉપરના ગંધમાં આસક્ત થઈ કપાળ ઉપર બેસતા તેના કામના અપાટાથી ભ્રમર મરણ પામે છે. સુવર્ણ ના તેજ સરખા શિખાના પ્રકાશમાં માહિત થયેલ પતગીયાએ રભસવૃત્તિથી દીવામાં પડીને મરણ પામે છે. મનાહર ગાયન સાંભળવામાં ઉત્સુક થયેલેા હરિણ કાન પર્યંત ખેચેલા શિકારીના બાણુથી વેધપણાને (મરણુતાને) પામે છે. આ પ્રમાણે સેવેલા એક એક વિષય મરણ માટે થાય છે, તા એકી સાથે સેવવામાં આવતા પાંચ વિષયા મરણને માટે કેમ ન થાય? અર્થાત્ થાય જ. ૧૮ થી ૩૩. "", વિવેચન—ઇંદ્રિયોના વિષયાને પરાધીન થએલા કાણુ કાણુ વિડ`ખના નથી પામતા ? શાસ્રાના ણકારા, પણ ઇન્દ્રિયાધીન થએલાએ બાળકની માફક ચેષ્ટા કરે છે. આથી હવે બીજી ઇન્દ્રિયાનું નિંદનીયપણુ અમે શું બતાવીએ? પેાતાના સગાભાઈ બાહુબલિ ઉપર પણ ઇન્દ્રિયા ને પરાધીન થયેલા ભરતરાજાએ ચક્ર મૂકયુ હતું. ખાહુબલી જય અને ભરતના પરાજય, આ જય અને પરાજય, જીતેલી અને નહિ જીતેલી ઇન્દ્રિયાથી જ થયા હતા; ઇન્દ્રિયા વડે કરી અજ્ઞાની પશુ તા દંડાયા; પણ આ આશ્ચર્ય છે કે, શાંત મેાહવાળા પૂર્વધરો પણ ઇન્દ્રિયાથી દ'ડાય છે. ઇન્દ્રિયાથી પરાભવ પામેલા દેવ, દાનવ, માનવા અને તપસ્વીએ પણ નિંદનીય કર્મો આચરે છે. ઇન્દ્રિય પરાધીન મનુષ્યા નહિ ખાવાનું ખાય છે, નહિ પીવાનું પીવે છે અને અગમ્ય પણુ ગમન કરે છે. ઈન્દ્રિયાથી હણાયેલા માનવા, કુલ, શીલ અને કરૂણાના ત્યાગ કરી, વેશ્યાનાં નીચ કર્મો અને દાસપણું પણ કરે છે. મેહાંધ મનુષ્યેાની પરદ્રવ્યમાં કે પરસ્ત્રીમાં જે પ્રવૃત્તિ થાય છે તે સ્વતંત્ર ઇન્દ્રિયાનું જ ચેષ્ટિત છે. જેનાથી
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy