________________
૧૨૯
જીવહિંસાથી પણ ચોરીને દોષ અધિક છે આ આશયથી છોકરાને કે આડે રસ્તે પિતાએ દોર્યો.” માતા પિતા ઉપર બાળકોને વિશ્વાસ અવર્ણનીય હોય છે. જે તેણે કહ્યું તે હિતકારી જાણી પુત્રે સ્વીકાર્યું. પિતા મરણ પામ્યા. પાછળથી રોહણીઓ પણ કુળ પરંપરાથી આવેલ ધ જ કરવા લાગ્યા. ખરેખર ઘણી વખત ગુણ કે અવગુણ એ વારસામાં ઉતરે છે. એક દિવસ સમવસરણ પાસે થઈ તે જતો હતો. બીજો રસ્તો ઘણો ફેરમાં હતું તેથી તે જ રસ્તે તે ચાલ્યો. પિતાની આજ્ઞા ઉલંઘન કરવાની બીકથી તે પ્રભુનું વચન સંભળાઈ ન જાય માટે કાનમાં આંગળી નાંખી ઉતાવળે ઉતાવળે આગળ ચાલ્યા.
તેટલામાં તેના પગમાં જોરથી કાંટે પેસી ગયે, તે હાથવતી કાઢવાની તેને ફરજ પડી તેટલામાં તેના કાનમાં વિરપ્રભુની દેશનાના શબ્દો આવ્યા, કે દેવે જમીનથી ચાર આંગળ અદ્ધર રહે છે, તેમના ગળામાં પુષ્પની માળા કરમાતી નથી, તેમની આંખો મીંચાતી નથી; અને નિરોગી શરીરવાળા હોય છે. આટલા શબ્દો કાનમાં આવતાં તેને બહુ દુઃખ થઈ આવ્યું. કાંટો કાઢી ત્યાંથી તત્કાળ આગળ ચાલ્યા ગયે, અને તે શબ્દ ભૂલી જવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. રહણીઆએ અનુક્રમે ચોરી કરતાં તેના પિતા કરતાં પણ અધિક ત્રાસ શહેરમાં વર્તાવ્યો. લોકેની ફરીયાદથી ચાર પકડવાનું કામ અભયકુમારે માથે લીધું. ઘણું પ્રપંચથી ચેરીના માલ મુદ્દા સિવાય અભયકુમારે તેને પકડી રાજા આગળ ઉભે કર્યો. ચેરીને મુદ્દો સાબિત ન થવાથી રાજાને તેને છેડી મૂકવાની ફરજ પડી.
અભયકુમાર તેને પોતાને મંદિરે લઈ ગયો. સ્નાનપાન કરાવી ભજનમાં ચંદ્રહાસમદિરા દહીને ઠેકાણે તેને ખવરાવી બેશુદ્ધ કરી દિધે અને તત્કાળ દેવભુવન જેવું મંદિર શણગારી એક શય્યામાં સુવાડી દીધા. આજુબાજુ દિવ્યરૂપ નવાવના વેશ્યાઓને દેવીઓનું રૂપ ધારણ કરાવી ઊભી રાખી. દિવ્યરૂપવાળા માણસને દેવ છડીદાર બનાવી સાક્ષાત્ દેવભુવનના આકારમાં તેને ગોઠવી તે સર્વને કેટલીક .