SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ વિવેકપૂર્વક સત્ય બોલવું બુદ્ધિમાનેએ સર્વ જીવોને ઉપકારક સત્ય જ બોલવું જોઈએ, અથવા સર્વાર્થ સાધક મૌનપણે જ રહેવું, પણ અસત્ય બેલી સ્વ–પરને દુઃખકર્તા તે ન જ થવું. કેઈન પૂછવા પછી પણ મર્મના જાણ મનુષ્ય, વેરના કારણરૂપ, શંકાસ્પદ, કર્કશ અને હિંસાસૂચક વચન ન બોલવું; પણ ધર્મને દવંસ થતો હોય, ક્રિયાને લેપ થતે હેય, સિદ્ધતાથને વિનાશ થતું હોય તે નહિ પૂછયે પણ શક્તિમાનેએ તેને નિષેધ કરવા માટે પ્રયત્ન કરે. ચાર્વાક અને કૌલિકાદિકે એ અસત્ય બેલી–બેલાવી આ જગતને વિડંબિત કર્યું છે. ખરેખર નગરની ખાળ સરખું તે અસત્ય બોલનારનું મુખ છે કે, જેમાંથી મલિનતાથી ભરપુર પાણ સરખું વચન નીકળે છે. દાવાનળમાં બળેલાં વૃક્ષે વર્ષાઋતુમાં કદાપિ નવપલ્લવિત થાય છે, પણ દુર્વચનરૂપ અગ્નિથી દગ્ધ થએલાં મનુષ્ય સાદ્ધ થતાં નથી. સત્ય વચને માનવને જેટલો આહલાદ આપે છે તેટલો આહૂલાદ, ચંદન, ચંદ્રિકા, ચંદ્રમણિ અને મોતી વગેરેની માળાઓ નથી આપતી. . શિખા રાખનાર, મુંડન કરાવનાર, જટા રાખનાર, નગ્ન રહેનાર અને વસ્ત્ર પહેરી તપસ્યા કરનારા તપસ્વીઓ પણ જે મિથ્યા બોલે તે અંત્યજથી પણ તે નિંદનીય થાય છે. એક તરફ અસત્યથી થતું પાપ અને એક બાજુ બીજાં સર્વ પાપે એકઠાં કરી, તુલામાં નાખી તળવામાં આવે તે, અસત્ય બલવાનું પાપ વધી જાય છે. પરદારિક અને ચેર વગેરેને હજી કઈ પ્રતિકાર થઈ શકે છે, પણ અસત્ય બોલનાર મનુષ્યોને કોઈ પ્રતિકાર અસત્ય મૂક્યા સિવાય નથી. દેવે પણ પક્ષપાત કરે છે, રાજાઓ આજ્ઞા માન્ય કરે છે અને અગ્નિ પ્રમુખ પણ શીતળ થઈ જાય છે; આ સત્ય બોલવાનાં જ ફળ છે. अल्पादपि मृषावादाद् , रौरवादिषु संभवः । अन्यथा वदतां जनीं वाचं त्वहह का गतिः ॥ ६२ ॥ છેડા પણ મૃષાવાદથી નરકાદિકમાં ઉત્પન્ન થવું પડે છે. તે જિનેશ્વરની વાણીને અન્યથા બેલતાં અરેરે તેઓની શું ગતિ થશે? ૬૨
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy