SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય બેલવા ઉપર કાલિકાચાર્યની કથા ૧૧૯ બેલવાથી શરીરને નાશ થતું હોય તે થાઓ પણ અસત્ય તે ન જ કહેવું. ક્ષણભંગુર સ્વભાવવાળા આ શરીરના સુખ માટે યા રક્ષણ માટે જેઓ પિતાના સત્યવ્રતને જલાંજલિ આપે છે તે નરકાદિમાં મહા ઘોર રૌરવ વેદના સહન કરે છે તેવા હતભાગી જવાનું જીવન આ દુનિયા ઉપર નકામું છે. આમ દઢ નિર્ણય કરી આચાર્ય શ્રીએ કહ્યું: “હે દત્ત ! આવી જીવહિંસાવાળા ય કરનાર મરીને નરકે જાય છે.” આ સાંભળતાં જ દત્તના રોમે રમે ક્રોધ વ્યાપી ગયે. આચાર્ય ઉપર તિરસ્કાર ભરી દષ્ટિ કરી દત્ત ઉભે થયે અને આક્રોશ કરતે બે કે “ તેની નિશાની શું?” આચાર્યો ઉપગ દઈ કહ્યું કે “આજથી સાતમે દિવસે તું કુંભીની અંદર પચાવાઈશ અને મરણ પામીશ.” દત્ત કહ્યું: “તેની નિશાની શું?” આચાર્યશ્રીએ કહ્યુંઃ કુમિમાં પડ્યા પહેલાં તારા મુખમાં વિણને છોટે પડશે.” દત્તને ભય લાગે. આચાર્યનું કહેવું સત્ય તે નહિ હોય! આચા ને ફરતી ચકી મુકી દત્ત ચાલ્યા ગયે, મરણના ભયથી છ દિવસ ઘરમાં રહ્યો. ઉત્સુકતાથી છઠ્ઠા દિવસને સાતમે ગણી મારૂં મરણ ન - થયું, હવેં આચાર્યને વિડંબના કરી મારી નાખું. આ ઈરાદાથી તે મહેલથી ઘડા ઉપર બેસી બહાર જવા નીકળ્યો. તે દિવસ સરિયામ રસ્તા ઉપર થઈ પ્રાતઃકાળમાં એક વૃદ્ધ માળી કુલ લઈને જતો હતો. તેને રોગાદિ કારણથી ઝાડાની હાઝતા થઈ ગઈ. તેથી ત્યાં જે હાજત પુરી કરી તેના ઉપર કેટલાક કુલ ઢાંકી ચાલતો થયો. રાજા ત્યાં થઈને નીકળ્યો. ઘોડાના પગને દાબડો જોરથી કુલ ઉપર પડ્યો. અને તેમાંથી વિષ્ટાને છાંટે ઉડી રાજાના મુખમાં પડ્યો. વિષ્ટા પડતાં જ રાજા ચમક્યો અને પાછો ફર્યો, ભયથી તે મહેલમાં દાખલ થયે; તેના અન્યાયથી કંટાળી ગએલા સામંતે એ પહેલાંના રાજાને જેલમાંથી બહાર કાઢયો અને રાજ્ય ઉપર બેસાર્યો. કે પાયમાન થએલા રાજાએ દત્તને બાંધી મંગાવ્યા અને કુભિમાં નાંખી નીચે તાપ કરી કાગડા કૂતરાને તેનું શરીર ખવડાવ્યું. દત્ત
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy