SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ધમનું લક્ષણ * ૯૧ નિર્ણય કર યા ધર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. આચાર્યશ્રી તેને ઉત્તર આપે છે કે - अपौरुषेयं वचनमसंभवि भवेद्यदि । न प्रमाणं भवेद्वाचां ह्याप्ताधीना प्रमाणता ॥ १२ ॥ પુરુષ વિના ઉત્પન્ન થયેલું (તાલુ, ઓષ્ટ આદિ અને જીવન પ્રયત્ન સિવાય ઉપન્ન થએલું) વચન સંભવતું નથી. કદાચ માને કે (વિવાદને ખાતર માની લઈએ કે, સંભવે તે પણ તે વચને પ્રમાણુ નથી કેમકે વચનેની પ્રમાણિકતા એ આસ્ક (પ્રમાણિક) પુરુષને આધીન છે. ૧૨. વિવેચન-અત્યારની ફોનગ્રાફની શોધથી માનવામાં આવતું હોય કે પુરુષના પ્રયત્ન સિવાય શબ્દોચ્ચાર થાય છે, તે તે માનવામાં ભૂલ છે, કારણ કે ફેનેગ્રાફમાં જે શબ્દો રોકવામાં આવ્યા છે, તેનો પણ ઉચ્ચાર કરનાર કેઈ પણ તાલુ. હોઠ અને પ્રયત્ન કરનાર જીવ સિવાય ઘટ નથી, અને આવાં વચને પણ જે પ્રમાણિક પુરુષ, અજ્ઞાનાદિ દોષ રહિત હોય, તેના જ યથાર્થ ગણાય છે. માટે જ ઉપર કહેવામાં આવ્યું છે કે પ્રયત્ન સિવાય વચન સંભવતું નથી અને તે પ્રમાણિક પુરુષનાં વચન લેવાં જોઈએ. પુરુષ સિવાયના વચનનું અસંભવિતપણું બતાવી સર્વશ સિવાયના પુરુષનું કહેલું વચન અપ્રમાણ આ છે તે બતાવે છે. मिथ्यादृष्टिभिराम्नातो हिंसाद्यैः कलुषीकृतः । स धर्म इति वित्तोऽपि भवभ्रमणकारणम् ॥ १३ ॥ મિથ્યાષ્ટિઓએ પ્રતિપાદન કરેલ, તથા મુગ્ધ બુદ્ધિવાળા પ્રાણીએમાં ધર્મપણે પ્રસિદ્ધિ પામેલ ધર્મ ભવમબ્રણના કારણરૂપ છે, કેમકે તે હિંસાદિ દેથી દૂષિત થયેલ છે. ૧૩.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy