________________
હતું. જુના વઢવાણ કેમ્પમાં ગામની મધ્યમાં વિશાળ જમીનના પ્લેટમાં ઉન્નત અને ઉોંગ એવાં ત્રિશિખરી, ત્રણ શિખરવાળે ભવ્ય જિનપ્રાસાદ તૈયાર થઈ જતાં સંવત ૧૯૪૬માં પરમ પૂજ્ય મુલચંદજી મહારાજશ્રીના (શ્રી મુક્તિવિજયજી ગણિવરશ્રીના) શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજશ્રી ભણુવિજયજી મહારાજ સાહેબની શુભનિશ્રામાં વઢવાણ શહેર નિવાસી શાહ રઘુભાઈ પાનાચંદે વઢવાણ કેમ્પમાં (હાલના સુરેન્દ્રનગરમાં) આવી પોતાના નામથી કોતરી કાઢી દેશ પરદેશ મોકલી. પ્રતિષ્ઠા મહોત્સવ ભારે આડંબર અને ઉત્સાહપૂર્વક ઊજવ્યો હતો. પ્રતિષ્ઠાના શુભ અવસરે અનેક ગામની ટોળીઓ આવી હતી. દસ-બાર હજાર માણસોની જનમેદની એકત્રિત થઈ હતી.
મૂળનાયક બારમા તીર્થપતિ શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવંત આદિ જિન પ્રતિમાજી પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ભણવિજયજી મહારાજશ્રીના વરદ્ હસ્તે સંવત ૧૮૪૬ના શ્રાવણ વદિ ૧ શુક્રવાર તા. ૧-૮-૧૮૯૦ના રોજ સવારના ૯ કલાક ૨૭ મિનિટ ૧૭ સેકંડે અપૂર્વ ઉલ્લાસ અને ઉત્સાહથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતાં. પ્રતિષ્ઠિત કરવામાં આવેલ પ્રતિમાજી અને પ્રતિષ્ઠા કરનાર ભાગ્યશાળીઓની નામાવલી આ પ્રમાણે છેઃ ૧ મળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવંત રૂા. ૧ર૧/ની બોલીથી શેઠ સવજી વાલજીએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. આ પ્રતિમાજી ગરવા ગીરનાર તીર્થથી
લાવવામાં આવ્યા છે. ૨ જમણી બાજુના ગભારામાં શ્રી સુવિધિનાથ સ્વામી રૂ. ૪૦૧/ની બોલીથી
વકીલ મુલચંદ ચતુરભાઈએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. આ પ્રતિમાજી પ્રભાસપાટણ તીર્થોથી લાવવામાં આવ્યા છે. ૩. ડાબીબા ગભારામાં શ્રી શાન્તિનાથ સ્વામી રૂા. ૬૦/ ની બેલીથી શેક
લિમીચંદ વાલજીએ પ્રતિષ્ઠિત કર્યા હતા. આ પ્રતિમાજી સ્તંભનતીર્થ- ખંભાત બંદરથી લાવવામાં આવ્યા છે. ૪ મૂળનાયક ભગવાનની જમણી બાજુ શ્રી વાસુપૂજ્ય સ્વામી રૂા. ૧૭૫/ ની
બોલીથી શેઠ નેણશી કલ્યાણજીએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. ૫ મૂળનાયક ભગવાનની ડાબી બાજુ શ્રી રાષભદેવસ્વામી રૂ. ૧૭૫/ ની બેલીથી
શેઠ જગજીવન સુરચંદે પ્રતિષ્ઠિત કર્યા હતાં. ૬ શ્રી શાંતિનાથસ્વામીની જમણી બાજુ શ્રી પાર્શ્વનાથસ્વામી રૂા. ૧૫૧/ ની
બોલીથી શેઠ સુંદરજી ઓધવજીએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. ૭ શ્રી શાન્તિનાથ સ્વામીની ડાબી બાજુ શ્રી પાર્શ્વનાથસ્વામી રૂા. ૨૫૧/ ની બેલીથી નથુભાઈ સુરચંદે પ્રતિષ્ઠિત કર્યા હતાં.