SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય . यथा श्रावकस्य पुत्रो बहुशो जिन बम्बदर्शनगुणेन । अकृतसुकृतोऽपि मृत्वा मत्स्यभवे प्राप्तः सम्यक्त्वम् ।।९०१।। જેમકે– શ્રાવકનો પુત્ર જિનબિંબના વારંવાર દર્શનગુણથી સુકૃત ન કર્યું હોવા છતાં મરીને માછલાના ભવમાં સમ્યક્તને પામ્યો. વિશેષાર્થ:- શ્રાવક પુત્રનું દષ્ટાંત આ પ્રમાણે છે " એક શેઠ જિનધર્મમાં અતિશય શ્રદ્ધાળુ હતા. પણ તેમનો પુત્ર તેમનાથી વિપરીત હતો. તેને ધર્મ પ્રત્યે જરાય શ્રદ્ધા ન હતી. એટલું જ નહિ, વધારામાં તે સાતેય વ્યસનમાં પૂરો હતો. શેઠ તેને ધર્મ કરવા માટે ઘણું સમજાવતા હતા, પણ તેની કોઈ અસર થતી ન હતી. ધર્મ પામવાની આવી સુંદર સામગ્રી પામ્યા પછી પણ આ જીવ ધર્મ નહિ પામે તો મરીને દુર્ગતિમાં જશે એ વિચારથી શેઠનું હૃદય બળતું હતું. શેઠે કોઈ પણ રીતે તેને ધર્મ પમાડવાનો નિર્ણય કર્યો. શેઠે તેને કહ્યું તું બીજું કાંઈ ન કરે તો પણ રોજ મંદિરમાં જઈને ભગવાનના દર્શન તો કર. છોકરાએ તે પણ ન માન્યું. આથી શેઠે ઘરમાં પેશવાના દરવાજાની સામે જ સારા સ્થાને જિનપ્રતિમા સ્થાપન કરી. શેઠને એમ હતું કે– ઘરમાં ભગવાન હશે અને તે પણ દરવાજાની તદ્દન સામે હશે તો છોકરો દર્શન-વંદન કરશે. પણ શેઠની આ ધારણા ખોટી પડી. છોકરો રોજ જિનમૂર્તિને જુએ છે, પણ બે હાથ જોડીને નમતો નથી, સ્તુતિ-વંદન કરતો નથી. આથી શેઠે ઈચ્છા વિના પણ છોકરો જિનપ્રતિમાને નમે એ આશયથી ઘરમાં પેશવાનું બારણું. નીચું કરાવ્યું. આથી છોકરો નીચે નમીને પેશે છે. સામે જ જિનમૂર્તિ છે. આમ શેઠ દરરોજ ભાવ વિના પણ છોકરાને જિનમૂર્તિ સામે નમાવે છે. છોકરો આ રીતે જીવન પર્યત ભાવ વિના જ જિનમૂર્તિને નમ્યો. મરીને તે અંતિમ સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલારૂપે ઉત્પન્ન થયો. નળિયા અને બંગડી એ બે સિવાય દરેક વસ્તુના આકારવાળા માછલાં સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય છે. એકવાર જિનમૂર્તિના આકારવાળા માછલાને જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનો વૃત્તાંત જાણીને તેને ખૂબ પશ્ચાત્તાપ ૩૮૮
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy