________________
ચૈત્યવદન મહાભાષ્ય
શુભગુરુવસેવા જરૂરી હોવાથી એ બે પણ લોકોત્તર સૌંદર્ય છે. ભવનિર્વેદ વગેરે છ ભાવો જિનધર્મને નહિ પામેલા જીવોમાં પણ હોઈ શકે છે માટે તે લૌકિક સૌંદર્ય છે. લૌકિક સૌંદર્ય જેનામાં આવે તે જ લોકોત્તર સૌંદર્ય પામવાને માટે લાયક છે. લૌકિક સૌંદર્ય આવ્યા વિના લોકોત્તર સૌંદર્યરૂપ સમ્યગ્દર્શન આદિ ધર્મ પામી શકાય જ નહિ. લૌકિક સૌંદર્ય વિના લોકોત્તર સૌંદર્ય પમાડનાર શુભગુયોગ વગેરે મળી જાય તો પણ લાભને બદલે નુકશાન થાય એવું બને. પચાવવાની તાકાત વિનાના રોગીને પૌષ્ટિક ખોરાક મળી જાય તેમ. એટલે લોકોત્તર સૌંદર્ય પામવા માટે લૌકિક સૌંદર્ય અનિવાર્ય છે. માટે પ્રથમ ભવનિર્વેદ વગેરે લૌકિક સૌંદર્યની માગણી કર્યા પછી શુભગુરુયોગ અને શુભગુરુવચન સેવા રૂ૫ લોકોત્તર સૌંદર્યની માગણી કરી છે.
(૭) શુભગુયોગ- ચારિત્રાદિ ગુણસંપન્ન ઉત્તમ આચાર્યનો સંબંધ. અહીં ચારિત્રાદિ ગુણોની મુખ્યતા છે. ગુરુ મળી જાય, પણ ચારિત્રવિહીન હોય તો કદાચ લાભને બદલે નુકશાન પણ થાય, ભૂખ્યાને ઝરમિશ્રિત લાડવા મળી જાય તેમ.. ? . (૮) શુભગુરુવચનસેવા – ઉપર્યુક્ત આચાર્યની આજ્ઞાનું પાલન. શુભગુરુનો યોગ થઈ જાય, પણ તેમનો ઉપદેશ સાંભળીને તેનો અમલ ન થાય તો શું કામનું ? માટે મોક્ષ ન મળે ત્યાં સુધી અખંડ રીતે શુભગુરુના ઉપદેશનું પાલન પણ અનિવાર્ય છે. અહીં અખંડ શબ્દના કાળ અને પ્રમાણ એ બે દૃષ્ટિએ અર્થ થઈ શકે. કાળની દૃષ્ટિએ અખંડ એટલે અમુક સમય થાય, અમુક સમય ન થાય એમ નહિ, કિંતુ સતત થાય. પ્રમાણની દૃષ્ટિએ અખંડ એટલે થોડા પ્રમાણમાં થાય એમ નહિ, કિંતુ સંપૂર્ણ થાય. જેમકે– ગુરુના અમુક વચનનું પાલન થાય, અમુક વચનનું પાલન ન થાય એમ નહિ, કિન્તુ પ્રત્યેક વચનનું પાલન થાય.
પ્રશ્ન – 'ગામવમરવUડું' પદોનો અન્વય ભવનિર્વેદ આદિ બધા સાથે છે કે શુભગુરુવચનસેવા સાથે છે ? - ઉત્તર– બંને સાથે લઈ શકાય. શબ્દાર્થની દૃષ્ટિએ વિચારીએ તો તેનો
૨૬૧