________________
ચૈત્યવદન મહાભાષ્ય
રહિત બનીને તાત્ત્વિક સત્ય માર્ગને અનુસવું તે માર્ગાનુસારિતા. મોક્ષમાર્ગ એ જ તાત્ત્વિક-સત્ય માર્ગ છે. માટે માર્ગાનુસારિતા શબ્દનો મોક્ષમાર્ગને અનુસરવું એવો અર્થ પણ થાય. આથી જ પંચાશકની ટીકામાં માનુસારિતા = મોક્ષમાનુસUાં એવો ઉલ્લેખ કર્યો છે.
(૩) ઈષ્ટસિદ્ધિઃ- જેનાથી ચિત્તની સ્વસ્થતા ટકાવી રાખવા દ્વારા ધર્મમાં પ્રવૃત્તિ થાય તેવી આ લોક સંબંધી અવિરોધી કાર્યની સિદ્ધિ. જીવનમાં અનેક જરૂરિયાતો ઊભી થાય છે. જીવન જરૂરિયાતની વસ્તુ ન મળે ત્યારે સમાધિ રહેવી અને ધર્મમાં સ્થિર રહેવું એ ઘણું કઠીન છે. અપ્રમત્તાવસ્થા વગેરે ઉચ્ચકક્ષાનું નહિ પામેલા સાધકને જીવન જરૂરિયાતની વસ્તુ ન મળે ત્યારે એનું મન અસ્વસ્થ બની જાય એ શક્ય છે. આમ બને તો ધર્મમાં ઉત્સાહ ઘટી જાય. ધર્મમાં ઉત્સાહ ઘટી જતાં તેની ધર્મમાં પ્રવૃત્તિ ન થાય કે ઉલ્લાસ વિના થાય. આથી સાધક ઉલ્લાસપૂર્વક ધર્મમાં પ્રવૃત્તિ કરી શકે એ માટે તેને જીવન જરૂરિયાતની વસ્તુ મળવી જોઈએ. આથી સાધક વર્તમાન જીવનમાં ચિત્તની સ્વસ્થતા ટકી રહે અને ધર્મમાં પ્રવૃત્તિ થાય એ માટે ભગવાન પાસે અવિરોધી ઈષ્ટ વસ્તુની સિદ્ધિની માગણી કરે તે જરા ય અનુચિત ન કહેવાય. પણ અહીં એ ખ્યાલ રાખવાનું છે કે ઈષ્ટવસ્તુની માગણી વિરોધી એટલે કે ધર્મદ્રષ્ટિએ વિરોધવાળી ન હોવી જોઈએ. જેમકે- તદન ગરીબ સાધક જીવન જરૂરિયાત પૂરતા ધનની માગણી કરે તો તે વિરોધી ન ગણાય, પણ ભોગવિલાસ કરી શકાય તેટલા ધનની માગણી કરે તો તે વિરોધી ગણાય. અન્યાય, હિંસક વ્યાપાર આદિથી ધન મેળવવાની ઈચ્છા પણ, વિરોધી ગણાય. લગ્ન કર્યા વિના રહી શકાય તેમ ન હોય તો પત્ની અનુકૂળ સ્વભાવવાળી ધાર્મિક વૃત્તિવાળી મળે તો સારું આવી ઈચ્છા વિરોધી ન ગણાય, પણ રૂપાળી મળે તો સારું આવી ઈચ્છા વિરોધી ગણાય. આનો સીધો અર્થ એ થાય કે ભગવાન પાસે સીધી રીતે કે પરંપરાએ ધર્મમાં સહાયક બનનારી વસ્તુ મંગાય, પણ રાગાદિ દોષો વધે તેવી એક પણ વસ્તુ ન મંગાય.
(૪) લોકવિરુદ્ધત્યાગ – લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ. * લોકવિરુદ્ધ કાર્યો- કોઈની પણ નિંદા કરવી એ લોક વિરુદ્ધ છે. તથા
૩૫૬