SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય દિક્ષાનું સુંદર પાલન કરીને દેવલોકમાં ઉત્પન્ન થશે. પછી ક્રમ કરીને અયોધ્યા નગરીના શક્રાવતાર નામના મંદિરમાં કેવલજ્ઞાન પામી મોક્ષે જશે. (૮૧૪) वंदणपणिहाणाओ, सुविसुद्धाओ पवड्डमाणाओ। सुव्वइ जिणेदसमए, देवत्तं ददुरो पत्तो ॥८१५॥ वन्दनप्रणिधानात् सुविशुद्धात् प्रवर्धमानात् । * મૂયતે ગિનેન્દ્રસમયે દેવત્વ તું: પ્રાતઃ I૮૨પા જિનેન્દ્રના શાસ્ત્રમાં સંભળાય છે કે– વંદન કરવાના સુવિશુદ્ધ અને વધતા એવા શુભધ્યાનથી દેડકો દેવપણાને પામ્યો. વિશેષાર્થ – દેડકાનો સંક્ષેપમાં વૃત્તાંત આ પ્રમાણે છે– રાજગૃહી નગરીમાં મણીયાર નામનો શ્રાવક હતો. તેણે શ્રી મહાવીરસ્વામીની દેશના સાંભળીને વૈરાગ્ય થવાથી સમ્યક્ત સહિત બાર વ્રતોનો સ્વીકાર કર્યો હતો. એક વાર તેણે ઉનાળામાં પૌષધ સહિત ચોવિહાર અઠ્ઠમ તપ કર્યો. પૌષધમાં રહેલા તેને ત્રીજી રાતે પાણીની ખૂબ તરસ લાગી. તૃષાથી પીડાયેલા તેણે વિચાર્યું કે“જેમણે નગરની બાજુમાં પવિત્ર જળથી ભરેલી સુંદર વાવડી બંધાવી છે તે લોકો ધન્ય છે. અને કૃતપુણ્ય છે. કારણકે વાવડીઓમાં નગરના લોકો પાણી પીને તૃષા શાંત કરે, સ્નાન વગેરે કરે. આથી વાવડી બંધાવવાથી મોટું પુણ્ય થાય. પુણ્યબંધના નવ કારણો છે. (૧) અન્યને ભોજન આપવું. (૨) અન્યને પાણી પાંવડાવવું, (૩) અન્યને પહેરવા વસ્ત્રો આપવાં, (૪) અન્યને બેસવા આસન આપવું, (૫) અન્યને સુવા પથારી આપવી, (૬) મનથી અન્યનું હિત ચિંતવવું, (૭) અન્ય માટે હિતકર વચન બોલવાં. (૮) અન્યના સારા કામ આદિની પ્રશંસા કરવી, (૯) અન્ય માટે હિતકર પ્રવૃત્તિ કરવી. જેમકે- અન્યની સેવા કરવી, સત્કાર કરવો, સહાયતા આપવી. આ નવમાં પાણીનો પણ સમાવેશ થાય છે. અન્યને પાણી આપવાથી પુણ્ય બંધાય. વાવડી બંધાવનાર અન્યને પાણી આપીને પુણ્ય બાંધે છે. આથી હું વાવડી બનાવીશ.” 1 સવાર થતાં પૌષધ પારીને સ્નાનાદિ કાર્યો કર્યા પછી તે ભેટશું લઈને ૪૧
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy