________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
કહ્યું: તારું સતીપણું પહેલાં અમોએ જાણેલું જ છે, હમણાં નગરજનોમાં ફજેત ન થા. આ સ્ત્રીઓ સતી હોવા છતાં નગરના દરવાજા ઉઘાડવા સમર્થ ન બની. સુભદ્રાએ કહ્યું: હે માતા ! આપે આ યોગ્ય કહ્યું છે. જો કે હમણાં (શીલપાલનનું) સત્ત્વ હોવું એ દુઃશક્ય છે, તો પણ હું પાંચ આચારોથી પોતાની પરીક્ષા કરીશ. સાસુએ સતીત્વની તો ઠેકડી ઉડાવી. આથી સુભદ્રાએ સતીત્વથી પોતાની પરીક્ષા કરવાનું ન કહેતાં પાંચ આચારોથી પોતાની પરીક્ષા કરીશ એમ કહ્યું. સુભદ્રાએ સ્નાન કર્યા પછી ધોયેલાં વસ્ત્રો પહેરીને, પંચનમસ્કારમંત્રનું સ્મરણ કર્યું. પછી જાણે ગુણોથી બાંધી હોય તેમ સૂતરના તાંતણાથી ચાલણીને બાંધી. એ ચાલણીને લોકસમૂહના દેખતાં આશ્ચર્ય રીતે કૂવામાં નાખી. પછી પાણીથી ભરેલી ચાલણી કૂવામાંથી બહાર કાઢી. કૌતુકની આકાંક્ષાવાળા દેવોએ ચાલણીના છિદ્રોને બંધ કરી દીધા. સૂતરના તાંતણા સુભદ્રાના શીલરૂપી સિદ્ધચૂર્ણથી જાણે વજ્ર જેવા દૃઢ બની ગયા હોય તેમ આટલો બધો ભાર હોવા છતાં જલદી રક્ષણ કરાયા, અર્થાત્ શીલના પ્રભાવથી સૂતરના તાંતણા જરા પણ તૂટ્યા નહિ.
પરિવાર સહિત ત્યાં આવીને અંજલિ જોડીને રાજાએ કહ્યું: હે સતી! સારું થયું. સારું થયું. જલદી નગરનાં દરવાજા ઉઘાડો. જાણે જગતને જિતનારું યંત્ર હોય તેવા પાણીને ધારણ કરતી, સુભદ્રા પૂર્વના દરવાજા તરફ ચાલી. તેની પાછળ મંત્રીઓ, સામંતો, રાજા અને નગરજનો ચાલી રહ્યા હતા. સ્તુતિપાઠકો જય જય એવાં શબ્દો ઉચ્ચારી રહ્યા હતા. આ રીતે તે નગરના પૂર્વ દરવાજા પાસે આવી પહોંચી. પછી પરમેષ્ઠિ નમસ્કારમંત્રનું ઉચ્ચારણ કરતી સુભદ્રાએ ત્રણ અંજલિઓથી તે પાણી દ્વાર ઉપર છાંટ્યું. બે દરવાજા ઉઘડી ગયા અને દુષ્ટ મનુષ્યોના બે કાન પણ ઉઘડી ગયા. આકાશમાં દુંદુભિઓ વાગી. નગરજનોએ સુભદ્રાની પ્રશંસા કરી. દેવોએ જૈનધર્મનો જય થાઓ, જૈનધર્મનો જય થાઓ, એમ જય જયકાર કર્યો. સુભદ્રાએ દક્ષિણ અને પશ્ચિમ દિશાના દરવાજાઓ પણ ઉઘાડીને સાસુ અને નણંદ વગેરે દુર્જનોના મોઢાઓને બંધ કર્યા. ઉત્તર દિશાના દરવાજા પાસે આવીને સુભદ્રા બોલીઃ જે કોઈ બીજી સ્ત્રી સતીત્વનું ગર્વ ધારણ કરતી હોય તે આ દરવાજાને ઉઘાડશે. સુભદ્રા મહાસતીના
૩૧૯