________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
સમર્થ સાર્થોથી સુખ કરનારો સુકાળ ત્યાં થયો. ભગવાનનું માતાના ઉદરમાં આગમન થતાં સઘળા ધાન્યો સારી રીતે (= ઘણા પ્રમાણમાં) થયા. તેથી માતાપિતાએ સંભવ એવું નામ સ્થાપિત કર્યું. (૫૫૧ થી ૫૫૬)
अभिणंदइ आणंदइ, रूवाइगुणेहि तिहुयणं सयलं । अभिणंदणो जिणो तो, अन्नं पि हु कारणं बीयं ॥५५७॥ अभिनन्दति आनन्दति रूपादिगुणैस्त्रिभुवनं सकलम् । अभिनन्दनो जिनस्ततोऽन्यदपि खलु कारणं द्वितीयम् ।। ५५७ ।।
રૂપ વગેરે ગુણોથી સંપૂર્ણ ત્રિભુવનને અભિનંદે છે = આનંદ પમાડે છે, તેથી જિન અભિનંદન કહેવાય છે. આમાં બીજું પણ કારણ જાણવું.
વિશેષાર્થઃ– ગાથામાં દ્વીચના સ્થાને જ્ઞેય હોવું જોઈએ. કારણકે સન્ન खने बीयं से जनेनो खेड ४ अर्थ छे. (449)
गब्भगए तम्मि जओ, जणणीमच्चंत भत्तिसंजुत्तो । अभिनंदइ अभिक्खं, सक्को अभिणंदणो तेण ॥ ५५८ ॥ . गर्भगते तस्मिन्ं यतो ज्ञननीमत्यन्तभक्तिसंयुक्तः । अभिनन्दत्यभीक्ष्णं शक्रोऽभिनन्दनस्तेन ।। ५५८।।
ભગવાન માતાના ગર્ભમાં રહ્યા તે દરમિયાન અત્યંત ભક્તિથી યુક્ત ઈંદ્રે માતાની વારંવાર સ્તુતિ-પ્રશંસા કરી તેથી અભિનંદન એવું નામ થયું. (૫૫૮) पावायारनिअट्टा, मोक्खाभिमुा सुहा मई जस्स ।
सो सुमई तित्थयरो, जइ एवं सुमइणो सव्वे ॥ ५५९॥ पापाचारनिवृत्ता मोक्षाभिमुखा शुभा मतिर्यस्य । स सुमतिस्तीर्थकरो यद्येवं सुमतयः सर्वे ।। ५५९ ।।
પાપાચારથી નિવૃત્ત થયેલી અને મોક્ષની સન્મુખ થયેલી શુભ મતિ જેની છે તે સુમતિ તીર્થંકર છે. આ પ્રમાણે તો બધાય તીર્થંકરો સુમતિ છે. (૫૫૯)
૨૩૯