SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય હવે ધમ તિત્યરે’ એ પદનો અર્થ કહે છે ધર્મના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. તેમાં વસ્તુનો સ્વભાવ એ દ્રવ્યધર્મ છે, તથા ગમ્યાગમ્ય આદિનો વ્યવહાર દ્રવ્યધર્મ છે. (કોઈક લોકોમાં મામાની પુત્રી અગમ્ય છે.) મિથ્યાદૃષ્ટિઓમાં રહેલો ધર્મ દ્રવ્યધર્મ છે. ભાવધર્મ શ્રુત-ચારિત્રરૂપ છે. ' વિશેષાર્થ – વસ્તુનો સ્વભાવ– જેમકે સુંઠનો ગરમી કરવાનો સ્વભાવ છે. સૂર્યનો પ્રકાશ કરવાનો સ્વભાવ છે. હરડેનો રેચ કરવાનો સ્વભાવ છે. આકાશનો અવગાહ આપવાનો સ્વભાવ છે. ધર્માસ્તિકાયનો ગતિમાં સહાય કરવાનો અને અધર્માસ્તિકાયની સ્થિતિમાં સહાય કરવાનો સ્વભાવ છે. ગયાગમ્યવ્યવહાર– કોઈક લોકમાં મામાની પુત્રી ગમ્ય છે ( એની સાથે લગ્ન કરી શકાય છે.) તો કોઈક લોકોમાં મામાની પુત્રી અગમ્ય છે. (= એની સાથે લગ્ન ન કરી શકાય.) આદિ શબ્દથી તે તે લોકોમાં તે તે પ્રકારનો જે વ્યવહાર પ્રસિદ્ધ હોય તે વ્યવહાર સમજવો. ભાવધર્મ-વાચના વગેરે પાંચ પ્રકારનો સ્વાધ્યાય શ્રતધર્મ છે. ક્ષમાદિ દેશ પ્રકારનો શ્રમણધર્મ ચારિત્રધર્મ છે. (૫૧૬) ..दोग्गइगमणपवत्तं, जीवं धारेइ धरइ मुद्धाणे। तो होइ भावधम्मो, सो नऽत्रो नाणचरणाणं ॥५१७॥ . . . સુત મનપ્રવૃત્ત ની ધારથતિ થતિ મૂર્ખ | ततो भवति भावधर्मः सो नान्यो ज्ञानचरणयोः ।।५१७।। ' ધર્મ દુર્ગતિમાં જવા માટે પ્રવૃત્ત થયેલા જીવને ધારણ કરે છે = મસ્તકે ધારણ કરે છે, અર્થાત્ ઉચ્ચગતિમાં ધારણ કરે છે, તેથી ભાવધર્મ કહેવાય છે. તે ભાવધર્મ જ્ઞાન-ચારિત્ર સિવાય બીજો કોઈ નથી. (૫૧૭) तित्थं जेण तरिज्जइ, दव्वे नइ-सागराण ओयारो । जेणुत्तरंति लोया, सुहेण समभूमिरूवेण ॥५१८॥ ૨૨૩
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy