________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
=
ભગવાન પર્યાંક આસને બેઠેલા હોય છે. અથવા કાયોત્સર્ગમાં ઊભા રહેલા હોય છે. જિનવરોની રૂપાતીત અવસ્થા ભાવવામાં આ બે આકારોનું ચિંતન કરવું. વિશેષાર્થઃ— ભગવાનના આ બે આકારને જોઈને રૂપાતીત = સિદ્ધ અવસ્થાનું ચિંતન કરવું, તે આ પ્રમાણે— પ્રભુ આ બે મુદ્રામાંથી કોઈ એક મુદ્રામાં રહીને સિદ્ધ થયા છે. આવા પ્રભુ જન્મ-મરણથી રહિત છે. સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત છે: અનંત અવ્યાબાધ સુખના ભોક્તા છે, વગેરે સિદ્ધ અવસ્થાનું ચિંતન કરવું: (૨૨૪)
एवमवत्थाण तियं, सम्मं भावेज्ज वंदणासमए । जिणबिंबविहियनिच्चलनयणजुओ सुद्धपरिणामो ॥ २२५ ॥ एवमवस्थानां त्रिकं सम्यग् भावयेत् वन्दनासमये । : जिनबिम्बविहितनिश्चलनयनयुगः शुद्धपरिणामः ।। २२५।।
શુદ્ધ પરિણામવાળો શ્રાવક ચૈત્યવંદનના સમયે જિનબિંબ ઉપર બે ચક્ષુઓને સ્થિર કરીને આ પ્રમાણે ત્રણ અવસ્થાઓનું સમ્યક્ ચિંતન,કરે. (૨૨૫)
तोय वाम- दाहिण - पच्छिमदिसिदंसणं परिहरेज्जा । तिदिसिनिरक्खणविरई, एवं चिय होइ नायव्वा ॥ २२६ ॥ एतस्माच्च वाम-दक्षिण-पश्चिमदिग्दर्शनं परिहरेत् । त्रिदिग्निरीक्षणविरतिरेवमेव भवति ज्ञातव्या ।। २२६ ।।
આથી (= બે ચક્ષુઓને જિનબિંબ ઉપર સ્થિર કરવાની હોવાથી) ડાબી-જમણી-પાછળની એ ત્રણ દિશામાં જોવાનો ત્યાગ કરે. આ પ્રમાણે જ ત્રણ દિશામાં નિરીક્ષણનો ત્યાગ જાણવો, અર્થાત્ આ છઠ્ઠું ત્રિક જાણવું. (૨૨૬) आलोयचलं चक्खु, मणो व्व तं दुक्करं थिरं काउं । રૂવેદિ તદિ સ્લિપ્પ, સમાનો વા યં ચરૂ રા आलोकचलं चक्षुर्मन इव तद् दुष्करं स्थिरं कर्त्तुम् । रूपैस्तैः क्षिप्यते स्वभावतो वा स्वयं चलति ।। २२७।।
૧૦૦