SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય અવસ્થા એમ ત્રણ ભેદ છે. તેમાં અહીં બે ગાથાઓમાં જન્મ અવસ્થા જણાવી છે. જિનપ્રતિમાની ઉપર કોતરેલા વિવિધ પ્રકારના દેવને જોઈને પ્રભુના જન્મ સમયે દેવોએ કરેલા સ્નાત્ર મહોત્સવને યાદ કરીને જન્મ અવસ્થાનું ચિંતન કરવું, તથા ઈંદ્રો વગેરે ભગવાનની આવી ભક્તિ કરે છે છતાં ભગવાનના અંતરમાં એ બદલ જરાય ગર્વ થતો નથી ઈત્યાદિ વિચારવું. રાજ્ય-અવસ્થા અને શ્રમણ-અવસ્થા ક્રમશઃ ૨૨૦ અને ૨૨૧મી ગાથામાં કહેશે, (૨૧૮-૨૧૯) वत्था -ऽऽहरण-विलेवण-मल्लेहिँ विभूसिओ जिणवरिंदो । रायसिरिमणुहवंतो, भाविज्जइ भवियलोण ॥ २२० ॥ वस्त्रा-ऽऽभरण-विलेपन-माल्यैर्विभूषितो जिनवरेन्द्रः । राज्यश्रियमनुभवन् भाव्यते भव्यलोकेन ।। २२० || વસ્ત્ર, આભૂષણ, વિલેપન, પુખ્માળા વગેરેથી વિભૂષિત જિનવરેન્દ્ર ભવ્યલોક વડે રાજ્યલક્ષ્મીને અનુભવતા ચિંતવાય છે. વિશેષાર્થઃ– વસ્ત્ર વગેરેને જોઈને પ્રભુની રાજ્ય અવસ્થાનું ચિંતન કરવું. તથા ભગવાન રાજ્ય કરતા હોવા છતાં વિરાગભાવમાં રહે છે. ચારિત્રમોહનીય કર્મો ખપાવવા માટે જ અનિચ્છાએ રાજ્ય ચલાવે છે વગેરે વિચારવું. (૨૨૦) अवगयकेसं सीसं, मुहं च दिट्ठ पि भुवणनाहस्स । साहेइ समणभावं, छउमत्थो एस पिंडत्थो || २२१ ॥ अपगतकेशं शीर्षं मुखं च दृष्टमपि भुवननाथस्य । कथयति श्रमणभावं छद्मस्थ एष पिण्डस्थः ।। २२१ । । . ભુવનનાથનું જોવાયેલું કેશરહિત મસ્તક અને મુખ શ્રમણભાવને કહે છે. આ ત્રણ પ્રકારની છદ્મસ્થ અવસ્થા એ પિંડસ્થ અવસ્થા છે. વિશેષાર્થ:- ભગવાનના કેશરહિત મસ્તક અને મુખને જોઈને પ્રભુની શ્રમણ અવસ્થાનું ચિંતન કરવું. તથા ભગવાન દીક્ષા લીધા પછી અપ્રમત્તપણે ચારિત્રનું પાલન કરે છે, ઘોર પરિસહો સહન કરે છે, વગેરે ૯૮
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy