________________
સ્વાભાવિક શક્તિ અને સંકેત એમ બે વડે પદાર્થનો બોધ કરાવવામાં શબ્દ કારણ છે. ___स्वाभाविकसामर्थ्य-शब्दस्यार्थप्रतिपादिका शक्तिः समय:- संकेतः, ताभ्यां कृत्वा अर्थज्ञानस्य कारणं शब्द इति । . . ____ अयं भावः-यद्यपि अर्थप्रतिपादने शब्दस्य स्वाभाविकं सामर्थ्यमस्ति तथापि सहकारित्वेन संकेतमपेक्षते, अन्यथा अज्ञातसंकेतस्यापि पुंसः शब्दश्रवणमात्रेणार्थोपस्थितिः स्यात्, न चैवं दृश्यते । ननु तहिं संकेतेनैव शब्दस्यार्थबोधकत्व-मङ्गीक्रियतां किमर्थ तत्र स्वाभाविकसामर्थ्य स्वीक्रियते ? इति चेद, उच्यते-संकेतस्य पुरुषेच्छाधीनत्वात् कदाचित् 'शब्दोऽपि वाच्यः, अर्थोऽपि वाचकः' इति विपरीतमपि स्यात्, सामर्थ्येऽङ्गीक्रियमाणे तु नैवं भवितुमर्हति, तस्मात् सामर्थ्य-संकेताभ्यां शब्दस्यार्थावबोधकत्वमङ्गी
ટીકાર્યઃ- (૧) સ્વામવિવા= સહજ, નૈસર્ગિક કુદરતી સ્વયં અનાદિસિદ્ધ સ્વાભાવિકપણે રહેલી સામર્થ્ય- શક્તિ, શબ્દના અર્થનું પ્રતિપાદન કરનારી શક્તિવિશેષ.
(૨) સમય- સંકેત, તામ્ય- સ્વાભાવિક સામર્થ્ય અને સંકેત તે બન્નવડે કરીને અર્થજ્ઞાનનું કારણ શબ્દ બને છે. તેનો ભાવ આ પ્રમાણે છે. જો કે અર્થનો બોધ કરાવવામાં શબ્દનું સ્વાભાવિક સામર્થ્ય છે તો પણ સહકારી સ્વરૂપે સંકેતની અપેક્ષા રાખે છે. સહકારીરૂપે સંકેતની અપેક્ષા ન સ્વીકારાય તો સંકેતને નહીં જાણતા એવા અજ્ઞાન સંકેતવાળા પુરૂષને પણ શબ્દ સાંભળવા માત્રથી પદાર્થનો બોધ થવો જોઈએ (દાડમ, ચીકુ, દ્રાક્ષ, સફરજનનો થાળ ભરેલો છે તો તે પદાર્થના અનભિજ્ઞ વ્યક્તિને પણ આ દાડમ છે, આ ચીકુ છે એ પ્રમાણેનું જ્ઞાન થવું જોઇએ.) આ પ્રમાણે બોધ થતો દેખાતો નથી, માટે શબ્દનું સ્વાભાવિક સામર્થ્ય હોવા છતાં સંકેતની પણ સહકારીપણે અર્થબોધ કરવામાં અપેક્ષા રહે છે.
પ્રશ્નઃ- નનુ. જો સંકેત વડે જ શબ્દમાં અર્થબોધકપણું સ્વીકારો છો તો પછી શબ્દમાં સ્વાભાવિક સામર્થ્ય શા માટે સ્વીકારો છો?
૧૫ર