SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ જો અર્થ સંવેદન તે આગમ છે તો પછી આપ્તવચનને સિદ્ધાન્તકારો, આગમ તરીકે પ્રસિદ્ધ શા માટે કરે છે? એવી શંકાનું સમાધાન કરતા કહે છે. ૩પવાવાતવરનં | ૪-૨ . ઉપચારથી આસપુરૂષનું વચન તે આગમ કહેવાય છે. ननुयदि आप्त वचनादुत्पन्नं ज्ञानमागमशष्देनाभिधीयते तर्हि आप्तवचने कथमागमशब्दप्रयोगः ? इत्याशङ्कयाहुः-उपचारादिति. अयं भावः प्रतिपाद्यगतज्ञानस्य कारणमाप्तवचनमिति कारणे आप्तवचने कार्योपचाराद् आप्तवचनेऽपि आगमशब्दप्रयोगः ॥ २ ॥ ખરેખર જો આHપુરૂષના વચનથી ઉત્પન્ન થયેલા અર્થબોધને જ જો આગમ શબ્દ વડે કહેવાતું હોય તો, આપ્તપુરૂષના વચનોમાં આગમ શબ્દનો પ્રયોગ થાય છે તે કેમ કહેવાય ? એવી શંકાનો પ્રત્યુત્તર આપતા આ સૂત્રમાં કહે છે કે - " ઉપચારથી પ્રામાણિક પુરૂષનું વચન આગમ છે. તેનો ભાવ આ પ્રમાણે છે, વક્તા જ્યારે વચન ઉચ્ચાર કરે છે ત્યારે તે વચનથી શ્રોતાને જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે કે વક્તાનું બોલાયેલું વચને પ્રતિપાદ્ય-શ્રોતાના જ્ઞાનનું કારણ બને છે. માટે કારણ સ્વરૂપ એવા આસપુરૂષના વચનમાં કાર્યનો (શ્રોતાના જ્ઞાનનો) ઉપચાર કરવાથી આતવચનમાં પણ આગમ શબ્દનો પ્રયોગ થાય છે. વિશેષાર્થ :- વાસ્તવિક રીતે તો શ્રોતાના હૃદયમાં રહેલું જ્ઞાન જ જ્ઞાનાત્મક હોવાથી વ્યવસાયિજ્ઞાન પ્રમાણમ્ આ સૂત્રના આધારે આગમ પ્રમાણ કહેવાય છે, તો પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને આપવચન એ જ્ઞાન ન હોવા છતાં ભાષાવર્ગણાના પુદ્ગલમાત્ર હોવાથી, જડ હોવા છતાં, શ્રોતાના જ્ઞાનનું કારણ હોવાથી, આપ્તવચનને આગમ કહેવાય છે. શ્રોતાના હૃદયમાં જ્ઞાનપ્રગટ કરવા કરાવવાનો આHવચન અનન્ય ઉપાય છે એમ સમજાવવા માટે આ ઉપચાર કરેલો છે उदाहरन्तिપ્રામાણિક પુરૂષના વચનોના બે ઉદાહરણ જણાવે છે. समस्त्यत्र प्रदेशे रत्ननिधानं, सन्ति रत्नसानुप्रभृतयः।४-३। ૧૪૨
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy