SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબોધ અને ઉત્પાતપ્રત્યે વ્યવધાન (આંતરા)વાળા જાગૃતદશા સંવેદન અને મરણના વ્યાપારની કલ્પના કરવામાં આવે તો) અત્યંત વ્યવહિત એવા અતીત અને અનાગતના અકારણ તરીકે મનાયેલા એવા રાવણ અને શંખચક્રવતી આદિઓને પણ પ્રબોધ અને ઉત્પાત પ્રત્યે વ્યાપારની કલ્પના કરવા દ્વારા કારણપણું થઈ જશે અને આમ કરવાથી અનિષ્ટ થશે (અર્થાત અતિવ્યાપ્તિ આવશે). વિશેષાર્થ : જો અમુક કાળને આંતરે રહેલા પદાર્થોમાં કાર્ય કારણભાવ ઘટાવીએ તો કોઇપણ જાતનો ચોક્કસ કાર્ય-કારણભાવ ટકી શકે નહીં અને પરંપરાએ જુદા જુદા કાળે (2)રહેલા પદાર્થોમાં પણ વ્યાપાર ઘટી જશે તેથી અતીતકાળમાં થયેલા રાવણ અને ભવિષ્યમાં થનાર શંખચક્રવર્તીરૂપ કાર્ય પ્રત્યે પણ કારણ બની જશે કારણ કે તેમાં પણ વ્યાપારની કલ્પના રોકી શકાશે નહીં પરંતુ આ વાત તો ઘટી શકે નહીં આ અતિપ્રસંગ નિવારી ન શકાય. सहचरहेतोरपि स्वभाव-कार्य-कारणेषु नान्तर्भाव इति दर्शयन्तिસહચરહેતુની પણ ભિન્નતા જરૂરી છે તે જણાવે છે. सहचारिणोः परस्परस्वरूपरित्यागेन तादात्म्यानुपपत्तेः, सहोत्पादेन, तदुत्पत्तिविपत्तेश्च सहचरहेतोरपिप्रोक्तेषु નાનપ્રવેશ: રૂ-૭૬ ' ' પરસ્પર સ્વરૂપના ત્યાગવડે રહેતા હોવાથી સહચારી હેતુઓનો તાદાભ્યસંબંધ ઘટી શકતો નથી તેમજ સહચારીઓની ઉત્પત્તિ એકીસાથે થતી હોવાથી તદુત્પત્તિ સંબંધ પણ ઘટી શકતો નથી તેથી સહચરહેતુનો પણ ઉપર કહેલા સ્વભાવ આદિ હેતુમાં પ્રવેશ થતો નથી. न केवलं पूर्वचरोत्तरचरयोः स्वभावादिष्वन्तर्भावः अपि तु सहचरहेतोरपि न तेष्वन्तभावः, तथाहि-सहचारीणोः रूप-रसयोः परस्परस्वरूपपरित्यागेनावस्थितत्वात् तादात्म्यं न सम्भवत्यतो न स्वभावहेतावन्तर्भाव:, एवं सव्येतरगोविषाणयोरिव सहैवोत्पद्यमानत्वान्न कार्ये कारणे वाऽन्तर्भावः, तस्मात् सहचरहेतोरपि प्रोक्तेषु स्वभावादिषु नान्तर्भाव इति ॥ ७६ ॥ ( ૧ ૨૪
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy