SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ નિષેધરૂપ સાધ્યને સાધનાર પણ છે. એ પ્રમાણે અનુપલબ્ધિરૂપ હેતુ પણ જેમ નિષેધરૂપ સાધ્યને સાધનાર છે તેમ વિધિરૂપ સાધ્યને પણ સાધનાર છે તેથી ઉપલબ્ધિ હેતુ વિધિને જ અનુપલબ્ધિહેતુ નિષેધને જ સાધનાર છે તેવો નિયમ કરવો જોઇએ નહીં. विधिमभिदधतिવિધિ અને નિષેધનું નિરૂપણ જણાવે છે. વિધિ સવંશ / રૂ-૧૬ . પદાર્થમાં રહેલો જે સદંશ (વિદ્યમાન ધર્મ) તે વિધિ કહેવાય છે. सदसदात्मकस्य वस्तुनो यः सदंश:-भावरूपः स विधिरित्यर्थः ॥५६॥ દરેક વસ્તુ જે સ-અસત્ સ્વરૂપ છે તેનો જે ભાવરૂપ-વિદ્યમાન અંશ તે વિધિ કહેવાય છે. તિયં પ્રદત્તિ– ' ' પ્રતિષથોડવંશ ને રૂ-૧૭ - અભાવરૂપ જે અસદંશ છે તે નિષેધ કહેવાય છે. सदसदात्मकस्य वस्तुनो योऽसदंश:-अभावरूपः स प्रतिषेध इति ॥५७॥ ભાવ અને અભાવ સ્વરૂપ એવા પદાર્થમાં જે અસ-અભાવરૂપ અંશ તે પ્રતિષેધ કહેવાય છે. * * * ' વિશેષાર્થ સંસારવર્તી તમામ પદાર્થો સ્વદ્રવ્યાદિ સ્વરૂપે અસ્તિત્વરૂપ છે તેને સદંશ કહેવાય છે અને તે જ તમામ વસ્તુ પરરૂપે નાસ્તિત્વરૂપ છે તેને અસદંશ કહેવાય છે. એમ પ્રત્યેક વસ્તુ સદંશ અને અસદંશ એમ ઉભયાત્મક છે. કેવલ એકલા સંદેશાત્મક કે અસદંશાત્મક નથી, તેમાં સદંશ વિધિરૂપ છે અને અસદંશ નિષેધરૂપ છે. अस्यैव प्रकारानाहुःપ્રસંગવશથી નિષેધના પ્રકારો જણાવે છે. स चतुर्धा प्रागभावः, प्रध्वंसाभाव, ફતરેતરમાવો ચન્તામાવ8 રૂ-૧૮ ૧૧૦
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy