SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય-પરિચ્છેદ્દઃ (પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ) • प्रत्यक्षानन्तरं परोक्षं लक्षयन्ति પરોક્ષ પ્રમાણનું લક્ષણ બતાવે છે. અસ્પષ્ટ પરોક્ષમ્ ॥ રૂ- " અસ્પષ્ટ પ્રમાણ તે પરોક્ષ છે. - वैशद्याभावविशिष्टं यत् प्रमाणं तत् परोक्षप्रमाणमित्यर्थः ॥ १ ॥ ટીકાર્ય ઃ નિર્મળતાદિના અભાવથી યુક્ત જે પ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે. વિશેષાર્થ : ઇન્દ્રિયોના વ્યાપારની અપેક્ષા નહિં રાખનાર અર્થાત્ મનના વ્યાપારથી અસાક્ષાત્ પદાર્થનો બોધ કરાવનાર જ્ઞાન તે પરોક્ષ છે. પ્રત્યક્ષમાં પદાર્થ સામે હોય છે પરોક્ષમાં પદાર્થ અસાક્ષાત્ હોય છે. પરસ્+અક્ષ-પરોક્ષ પ્રત્યક્ષથી જે ઉલટુ તે - પરોક્ષ છે. પરોક્ષ પ્રમાણમાં પ્રત્યક્ષની પેઠે સ્પષ્ટ બોધ થતો નથી, છતાં પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ ફળ તો બંનેમાં સરખું જ છે. પ્રત્યક્ષમાં નિયત-વર્ણગંધ-રસ અને સ્પર્શયુક્ત પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા સાક્ષાત્ થતું દેખાય છે. જ્યારે પરોક્ષમાં સાચા અને સંગત અવ્યભિચારી કારણો દ્વારા મનથી અસ્પષ્ટ રીતે સાધ્ય વિચારવામાં આવે છે. अथैतत् प्रकारतः प्रकटयन्ति પરોક્ષ પ્રમાણના ભેદો બતાવે છે. स्मरण-प्रत्यभिज्ञान-तर्कानुमानागमभेदतस्तत् पञ्चप्रकारम् ॥३-२। તે પરોક્ષ પ્રમાણ (૧) સ્મરણ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તર્ક (૪) અનુમાન અને (૫) આગમના ભેદથી પાંચ પ્રકારનું છે. તત્- પરોક્ષપ્રમાળમ્ અત્યંત્ સ્પષ્ટમ્ ॥૨॥ તત્– પરોક્ષપ્રમાણ, બીજુ સ્પષ્ટ હોવાથી ગ્રન્થકારે તેની ટીકા બનાવી નથી. ૬૯ -
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy