________________
નર્ત fપવતિ | તે પાણી પીવે છે. નિમર્વતિ | તે પ્રભુને પૂજે છે.
મો વાતિ તે લાડવો ખાય છે. વિગેરે... (૩) પ્રાપ્ય : જેમાં ક્રિયા દ્વારા કોઈ ફેરફાર થતો ન હોય તેને પ્રાપ્ય કર્મ કહેવાય.
દા.ત. વન્દ્ર પશ્યતિ | તે ચન્દ્રને જુએ છે. પ્રા નછતિ ! તે ગામ જાય છે. પુત નતિ ! તે પુસ્તક લાવે છે. ધનં યસ્કૃતિ ! તે ધન આપે છે. પ્રશ્ન - ૪ દ્વિતીયા વિભક્તિને ગુજરાતીમાં કેવી રીતે બોલાય ? ઉત્તર - ૪ સામાન્યથી દ્વિતીયા વિભક્તિને ગુજરાતીમાં “ને” લાગે છે.
પ્રાયઃ સજીવ પદાર્થ કર્મ તરીકે હોય તો “ને”નો ઉપયોગ જલ્દી થાય છે. અજીવ પદાર્થ કર્મ તરીકે હોય તો “ને બોલાતું નથી. દા.ત. સજીવમાં : રમેશ દિનેશને બોલાવે છે.
રાજા ચોરને મારે છે. બાલક માતાને કહે છે. વિ..... અજીવમાં : દિનેશ પાણી પીવે છે. હું મહેલ જોઉં છું.
બાળક લાડવો ખાય છે. વિ... * “કરવું અર્થ જેની પાછળ આવતો હોય તે ક્રિયાપદનાં કર્મને ગુજરાતીમાં નો, ની, નું લાગે છે. દા.ત. તે પ્રભુની પૂજા કરે છે. સ વિનં પૂનયતિ |
તમે સંસારનો ત્યાગ કરો છો. પૂર્વે સંસાર ત્યાથ |
અમે પુસ્તકોનું રક્ષણ કરીએ છીએ. વયે પુર્તનિ રક્ષામ: | અહીં નો, ની, નું હોય તો પણ તે – તે શબ્દને દ્વિતીયા વિભક્તિ જ કરવી ષષ્ઠી વિભક્તિ કરવાની નથી.
- “જવું” અર્થવાળા ધાતુ ક્રિયાપદ તરીકે હોય તો એનાં કર્મને ગુજરાતીમાં માં” લખાય છે. દા.ત. રામ વનમાં જાય છે - રામો વનં સછતિ |
૬૫