SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબ-૮ તપુરૂષ સમાસ અનેક પ્રકારે છે. પણ હમણાં પ્રથમામાં “વિભક્તિ તપુરૂષ સમાસ” ના એક પટાભેદ તરીકે પષ્ઠી તત્પ. સમાસ તથા નમ્ તત્પ) સમાસ અને કર્મધારય તત્પ૦ સમાસ એમ ત્રણ સમાસો બતાવ્યા છે. પ્રશ્ન-૯ ષષ્ઠી તપુરુષ સમાસ-ક્યારે અને કેવી રીતે થાય ? તે વિગ્રહની રીત સાથે સમજાવો જવાબ-૯ સંબંધો અનેક પ્રકારનાં છે તે વાત આગળ બતાવી દીધી છે. આવા સંબંધમાં વર્તતા ગૌણ નામનો (જેને 'ષષ્ઠી વિભક્તિ કરવામાં આવે છે તેનો) મુખ્ય નામની સાથે સમાસ થાય છે. તેને પછી તપુરુષ સમાસ કહેવાય છે. એનું ટુંકું નામ પ.ત.પુ. છે. ષષ્ઠી તપુરૂષ સમાસમાં પૂર્વપદને અર્થાનુસાર ષષ્ઠી વિભક્તિ અને ઉત્તરપદને પ્રથમ વિભક્તિ લગાડીને વિગ્રહ કરાય છે. સમાસ કરતી વેળાએ પૂર્વપદની (ષષ્ઠી) વિભક્તિનો લોપ કરી જો સ્વરાંત નામ હોય અને પછી સ્વરથી શરૂ થતો (ઉત્તરપદનો) શબ્દ હોય તો યથાયોગ્ય સંધિ કરવી. અને વ્યંજનાંત નામ હોય તો એને પદ માની પદ સંબંધી લાગતાં નિયમો લગાડીને સંધિ કરવી. આ રીતે સમાસ-વિગ્રહ કરી શકાય છે. ' મૃઃ નિત્તયમ્મૃનિત્રય-મૃનિયમ્ | માટીનું ઘર મૃત્ + નિયમ્ અહીં મૃત્ એ પદ કહેવાય છે એટલે જ પા.૨૫.નિ.૪ થી વિકલ્પ ટુ નો નું થાય છે. એજ રીતે ચોષિત: હૃદયમ્ - યોપિટ્ટયમ્ વોષિદ્રયમ્ અહી પા.૪૧ નિ. ૪ થી વિકલ્પ ૬ નો ધૂ થયો. વળી આ સમાસમાં બે પદ હોય છે. પૂર્વપદ + ઉત્તરપદ. આ સમાસમાં ઉત્તરપદની પ્રધાનતા હોય છે. એટલે કૃપ) ૩દ્યાનમ્ - નૃપોદ્યાનમ્ | રાજાનો બગીચો. યા: નતમ્- નનમ્ ગંગાનું પાણી. અહીં ઉદ્યાન તથા નન એ મુખ્ય નામ છે. નૃપ અને ક્લિા ગૌણ નામ છે. રાજા તથા ગંગા તો ગમે ત્યાં હોય અહીં તો એનો બગીચો તથા પાણી વિદ્યમાન છે માટે ૩દ્યાન- અને નત શબ્દ. (ઉત્તરપદ)ની પ્રધાનતા છે. ૧૪૬
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy