________________
૪૦
શ્રી વીશસ્થાનક તપ ૧૫ શ્રી પાહુડ
શ્રુતજ્ઞાનાય નમઃ ૧૬ શ્રી પાહુડસમાસ
શ્રુતજ્ઞાનાય નમઃ ૧૭ શ્રી વસ્તુ
શ્રુતજ્ઞાનાય નમઃ ૧૮ શ્રી વસ્તુસમાસ
શ્રુતજ્ઞાનાય નમઃ ૧૯ શ્રી પર્વ
શ્રુતજ્ઞાનાય નમઃ ૨૦ શ્રી પૂર્વસમાસ
શ્રુતજ્ઞાનાય નમઃ આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું શુભ ભાવ વડે આરાધન કરવાથી રત્નચૂડ તીર્થકર પદ પામ્યા છે. કથા પૃષ્ઠ નં. ૧૩૩માં જુઓ. .
શ્રુતજ્ઞાનના મહત્વને અંગ કહે છે કે... એક પદ ૧,૬૩,૪૬,૮૦૭=૮૦ અક્ષરોનું થાય છે. તેવાં પદો ગણધર મહારાજાના ગૂંથેલો અગ્યાર અંગના ૩,૬૮,૪૨,000 પદો છે. બારમાં અંગનો પાર તો ગણધર મહારાજા સિવાય કોઈ પામી શક્યું નથી. તેથી તે ગણિપિટ્ટક કહેવાય છે. એ બારમા અંગમાં આવેલા ૧૪ પૂર્વમાં નીચે પ્રમાણે છે. ૧ પહેલું ઉત્પાદપૂર્વ એક ક્રોડ પદપ્રમાણ છે. તે એક હાથી જેટલાં મષીના
ઢગલાથી લખી શકાય છે. તેમાં સર્વ દ્રવ્યોના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યપણાનું સ્વરૂપ બતાવેલું છે. બીજું આગ્રાયણી પૂર્વ ૧૬ લાખ પદપ્રમાણ છે. તે બે હાથી જેટલાં અષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં સર્વ પ્રકારના બીજની કુલ સંખ્યા છે. ત્રીજું વીર્યપ્રવાદ પૂર્વ ૭૦ લાખ પદ પ્રમાણ છે. તે ચાર હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં વિર્ય જે બલ-પ્રયત્ન તેનો અર્થ અને વીર્યવંતનું સ્વરૂપ કહેલું છે. ચોથું અસ્તિનાસ્તિકવાદ પૂર્વ ૬૦ લાખ પદપ્રમાણ છે. તે આઠ હાથી જેટલાં મશીના ઢગલાથી લખી શકાય છે. તેમાં અસ્તિનાસ્તિ સ્વભાવરૂપ સપ્તભંગી અને સ્યાદ્વાદનું સ્વરૂપ બતાવેલું છે. પાંચમું જ્ઞાનપ્રવાદ પૂર્વ એક ઉણા ક્રોડ પદપ્રમાણ છે. તે સોળ હાથી જેટલાં મષીના ઢગલાથી લખી શકાય છે. તેમાં મતિ વિગેરે પાંચ જ્ઞાનનું સ્વરૂપ બતાવેલું છે.