________________
કથાઓ
કરતા, નિરતિચાર ચારિત્રપાળી અનુક્રમે પ્રથમ ગ્રેવેયકમાં મહા ઋધ્ધિવાળા દેવ થયાં. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, એવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર થઈ મોક્ષપદ પામશે. હરિપ્રભા પણ તે તીર્થંકરના ગણધર થઈ અનંત અવ્યાબાધ એવા અક્ષયસુખને પ્રાપ્ત કરશે.
આ પ્રમાણે જિનદત્ત શ્રેષ્ઠીનું કથાનક વાંચી હે ભવ્યજનો! શ્રી પ્રવચનપદની આરાધનામાં ખૂબ ઉઘત બનો! ૪ શ્રી આચાર્યપદ વિષે પુરષોત્તમ રાજાની કથા
આ ભરતક્ષેત્રમાં પદ્માવતી નામે નગરી હતી. ત્યાં ઈન્દ્ર સમાન પુરુષોત્તમ રાજા હતો. તેને જૈન ધર્મનો રાગી શ્રાદ્ધ ગુણવિભૂષિત સુમતિ નામે મંત્રી હતો. એક દિવસ રાજાની સભામાં કપટી, માયાવી ઈન્દ્રજાળીયો રૌદ્ર નામે એક કપાલી યોગી આવ્યો. રાજાએ તેનો સત્કાર કરી કાર્ય શું છે? તે પૂછ્યું. તેણે કહ્યું કે હું છ માસથી એક વિદ્યા સાધુ છું પણ સત્ત્વવંત ઉત્તરસાધક વિના વિદ્યા સિધ્ધ થતી નથી. માટે તે પુરુષોમાં ઉત્તમ ! તમે મારા ઉત્તર સાધક બની સહાય કરો. રાજાએ તેમ કરવા સ્વીકાર્યું. સમ્યકત્વના સ્વરૂપના જાણકાર મંત્રીએ કહ્યું કે હે નરેન્દ્ર ! વીતરાગ કથિત ધર્મને જાણનારાએ મિથ્યાત્વીનો પરિચય કરવો યોગ્ય નથી. તેથી સમકિત મલિન થાય છે. અવસરે ભ્રષ્ટ પણ થવા સંભવ છે. રાજાએ કહ્યું મંત્રીશ્વર ! તમારૂં કથન સત્ય છે, પરંતુ આ ક્ષણભંગુર દેહ વડે જો બીજાનો ઉપકાર થતો હોય તો તે આનંદનું કારણ છે.
સાંજે સૂર્યાસ્ત પછી રાજા યોગીની સાથે અરણ્યમાં ગયો. યોગીએ સ્થાનકે આવીને રાજાને એક મનુષ્યનું શબ લાવી આપવા કહ્યું. રાજા સ્મશાન તરફ ગયો. રસ્તામાં એક વૃક્ષની શાખાએ એક યોગીનું શબ લટકતું જોયું. રાજાએ તલવારથી રજુ છેદવા પ્રયત્ન કર્યો પણ તે છેદાયું નહીં. ત્રણવાર છેદવા છતાં નહીં છેદાતા સાહસિક રાજાએ વૃક્ષ ઉપર ચડી દોરડાનો બંધ છોડી શબને નીચે ઉતાર્યું. ત્યાં રાજાના સાહસથી કુળદેવી પ્રત્યક્ષ થઈ તેને કહેવા લાગી કે... - આ કપટકુશળ યોગી તને જ મારી સુવર્ણપુરુષ બનાવવા ઈચ્છે છે. માટે તું સાવધાન થઈને હૃદયમાં કાર "શબ્દનો જાપ કરજે. યોગીના કપાળમાં ધૂમ્રનો પ્રકાશ જુએ ત્યારે મારું સ્મરણ કરજે. રાજા શબ લઈને યોગી પાસે આવ્યો. યોગી જાપ કરવા લાગ્યો. અગ્નિકુંડ પાસે